SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વત્રયીની પ્રસ્તાવના. વૈદિક ધર્મ તે, સર્વજ્ઞાન તત્ત્વના વિકારરૂપ છે. ભૂલચૂકની ક્ષમા આપશે અને સત્યની શોધ કરશે. (૩૫) જેના–અનેકાંતવાદનું અથવા સ્યાદ્વાદવાદનું સ્વરૂપ દુનિયાના સર્વ પદાર્થો–ઉત્પન્ન અને નાશ થતા હોવા છતાં પણ તેના મૂળ પદાર્થોને નાશ થતેજ નથી એ નિર્વિવાદ છે. જેમ કે સેનાના અનેક , દાગીના બનતા અને તેડી નંખાતા હોવા છતાં પણ સોનાને નાશ થતજ નથી. તેવી જ રીતે માટીના ઘડા આદિ ઉત્પન્ન અને નાશ થવા છતાં પણ માટીને સર્વથા નાશ થતો જ નથી. એવી રીતે બધાએ પદાર્થો અનેક ધર્મવાળા જ હોય છે. આ માન્યતાને જેને અનેકાંતવાદના નામથી અથવા સ્યાદ્વાદ વાદના નામથી જાહેરમાં પ્રસિદ્ધ કરે છે. વૈદિકમતમાં-પૂર્વકાળમાં થએલા કેટલાક પંડિતે તે પદાર્થોમાં અને તેમના સ્વરૂપમાં જુદા જુદા પક્ષેને ઉભા કરીને જુદી જુદી માન્યતાઓ પ્રગટ કરે છે. જ્યારે પિતાની માન્યતાઓમાં વાંધા આવી પડે છે ત્યારે તે જેના અનેકાંતવાદનો આશ્રય લઈને સામા પક્ષેને તેડી પાડવાનો પ્રયત્ન પણ કરે છે. તેમાં પણ વિશેષ ખૂબી એ છે કે–તે મતવાદીઓ જેના અનેકાંતવાદનો તે આશ્રય લેતા જાય છે અને પિતાની માન્યતામાં જુઠી કલ્પનાઓ કરીને તેજ અનેકાંતવાદનું ખંડન કરવામાં પોતાની ચાતુરી પણ પ્રગટ કરતા જોવામાં આવે છે. આ અનેકાંતવાદના પ્રકરણમાં આવા પ્રકારની બધી વિચિત્રતાજ આપ સજજના જોવામાં આવશે. - પ્રથમ શંકર સ્વામીએ જ શિવ-નીલકંઠને અને ભાસ્કરાચાર્યને વૈતવાદ છોડાવી અદ્વૈતવાદ કબુલ કરાવ્યું. એ શું ન્યાય થએલે હતો? મારા વિચાર પ્રમાણે તે દૈતવાદ જ સિદ્ધ રૂપને છે, બાકી અહમત દુરાગ્રહમાંજ દોરી જાય છે. બીજાઓનું ખંડન કરતાં સ્વામીજીએ જગે જગે પર અનેકાંતવાદનાજ આશ્રય લીધેલ છે. જેના આશ્રયથી જ્ય મેળવીને આવ્યા, તેનું પણ ખંડન કરવામાં જબરજસ્તી કરી, એ શું સત્યબુદ્ધિને ઉપયોગ કરેલ છે ખરે કે? પ્રથમ શંકર સ્વામીના એક બ્રહ્મમાંજ-વ્યક્ત–અવ્યક્ત-સગુણ-નિર્ગુણ અનેક ધર્મ ગીતામાંજ લખાયા છે. તે પ્રમાણે પુરાણમાં પણ અનેક ધર્મ લખાયા છે. ધ્યાન દેશે તે જરૂર સમજાશે. તેવી જ રીતે સર્વ વસ્તુઓમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005563
Book TitleTattvatrai Mimansa Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorAmarvijay
PublisherJain Sangh Samast
Publication Year1932
Total Pages1174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy