SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનયોગીની અંતર્મુખતા ગાથા-૮ ૨૩ પર બની મોહના મેલથી મુક્ત થયેલું વિશિષ્ટ સુખ અનુભવતા હોય છે, માટે પણ તેઓને બ્રહ્મવાન કહેવાય છે. આત્મા, જ્ઞાન, બ્રહ્મ કે વેદધર્મ; ચારે શબ્દો અપેક્ષાએ એકાર્થી છે, છતાં ગુણ-ગુણીનો ભેદ નજરમાં રાખી ગ્રંથકારે જ્ઞાતા-દ્રષ્ટા ભાવ કેળવનાર મુનિને આત્મવાન, જ્ઞાનવાન, વેદધર્મવાન અને બ્રહ્મવાન કહ્યા છે. આમ જોવા જઈએ તો જીવમાત્ર આત્મવાન, જ્ઞાનવાન કે બ્રહ્મવાન તો હોય જ છે. છતાં જેમ વ્યવહારમાં પુરુષાર્થવિકલ પુરુષને પુરુષ નથી કહેવાતો તેમ જ્યાં આત્માનું સુખરૂપે સંવેદન ન હોય, શુદ્ધજ્ઞાનનું વેદન ન હોય કે શાસ્ત્રાનુસારી શુદ્ધ જીવન ન હોય તેવા આત્માને-જીવને આત્મવાન, જ્ઞાનવાન કે ધર્મવાન કહેવાતો નથી. પરંતુ જે વિષયોને વશ ન હોય અને જ્ઞાનમય, આનંદમય ધર્મમય આત્માનું વેદન કરતો હોય તે જ આત્મવાન આદિ કહેવાય છે. એટલે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005562
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorKirtiyashsuri
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2012
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy