SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મનાશ પ્રત્યે જ્ઞાન-ક્રિયાનો સ્યાદ્વાદ - ગાથા-૩૫ અવતરણિકા : જૈનદર્શન જેમ જ્ઞાન-ક્રિયાના સમુચ્ચયને સ્વીકારે છે તેમ અન્યદર્શન પણ જ્ઞાન અને ક્રિયાથી જ મોક્ષ છે તેવું સ્વીકારે છે; તે દર્શાવવા હવે તદ્વિષયક અન્ય દર્શનકારનું મંતવ્ય ૨જૂ ક૨તા ગ્રન્થકારશ્રી જણાવે છે શ્લોક : नॅ यावत्सममभ्यस्तो, ज्ञानसत्पुरुषक्रम । જોપિં તયોસ્તાવને પુરુષચંદ સિધ્ધતિ શરૂĪ] શબ્દાર્થ : 9. યાવત્ - જ્યાં સુધી ૨. જ્ઞાન-સત્પુરુષો - જ્ઞાન અને સત્પુરુષોના આચાર રૂ/૪/. સમ ન અભ્યસ્તો - સમાન રીતે અભ્યસ્ત કરાતા નથી. ૬. તવત્ - ત્યાં સુધી ૭. પુરુષસ્ય ૪ - સાધકને આ સંસારમાં ૮/૧. તયોઃ પોઽપિ - જ્ઞાન અને ઉચિત આચારો, એ બેમાંથી એક પણ ૧૦/૧૧. સિતિ ન - સિદ્ધ થતાં નથી. શ્લોકાર્થ : ૨૦૭ સાધક જ્યાં સુધી જ્ઞાન અને મહાપુરુષોના ઉચિત આચારનો સમાન રીતે અભ્યાસ કરતો નથી, ત્યાં સુધી તેને જ્ઞાન અને ઉચિત આચારો (ક્રિયાઓ)માંથી એક પણ સિદ્ધ થતાં નથી. ભાવાર્થ : અન્ય દર્શનકારો પણ માને છે કે, જ્યાં સુધી જ્ઞાન અને સત્પુરુષોએ આચરેલી આચરણાનો સરખો અભ્યાસ ન થાય અર્થાત્ જ્ઞાન અને ક્રિયા બન્નેને સરખી રીતે આચરવામાં ન આવે ત્યાં સુધી પુરુષને જ્ઞાન કે ક્રિયા બેમાંથી એક પણ સિદ્ધ થતાં નથી એટલે એકલું જ્ઞાન કે એકલી ક્રિયા ક્યારેય ફળ આપી શકતાં નથી. વિશેષાર્થ : આત્માની ઉન્નતિને ઇચ્છતા સાધકે શાસ્ત્રજ્ઞાન સાથે સત્પુરુષોના ક્રમનો અભ્યાસ કરવો પણ આવશ્યક છે. સત્પુરુષનો ક્રમ એટલે સજ્જન પુરુષોએ આચરેલી શુભ આચરણા. સજ્જન પુરુષોએ પોતાના જીવનમાં દરેક પ્રસંગે જે જે મર્યાદાઓનું પાલન કર્યું હોય, જે ઔચિત્ય જાળવ્યું હોય, જે અભિગ્રહો અને નિયમોનું સેવન કર્યું હોય તે સર્વે સજ્જનોની ક્રિયા અથવા ઉચિત આચારો છે. Jain Education International જ્ઞાન અને સજ્જન પુરુષોના આચારો, આ બેમાંથી એકને પણ ગૌણ ન બનાવી શકાય. કોઈ સાધક જો માત્ર જ્ઞાન પ્રાપ્ત કરવામાં, તેને દૃઢ ક૨વામાં, તેનું ચિંતન ક૨વામાં રત રહે અને તેની ભૂમિકાને અનુરૂપ ઉચિત અનુષ્ઠાનોને આદરવા પ્રત્યે બેધ્યાન બની જાય, વળી કોઈ સાધક માત્ર તપ, જપ, ભક્તિ આદિના અનુષ્ઠાનોમાં રત રહે અને શાસ્ત્રજ્ઞાન પ્રત્યે ઉપેક્ષા રાખે તો તે બન્ને પ્રકારના સાધકોને જ્ઞાન કે ક્રિયા બેમાંથી એકપણ સાચા અર્થમાં સિદ્ધ થતાં નથી, તેઓને બેમાંથી એકનું પણ ફળ મળતું નથી. જ્યારે જ્ઞાન અને ક્રિયા બન્ને એકબીજાને સાપેક્ષ બની સમાન રીતે પ્રવર્તે ત્યારે જ ફળની પ્રાપ્તિ થાય છે. ૩૫॥ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005562
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorKirtiyashsuri
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2012
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy