SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનયોગનું ફળ – ગાથા-ઉપ ૧૩૭ કાંઈ હોય તો બીજાને આપી શકાય પણ જેને કાંઈ જ પોતાનું ન લાગતું હોય તેને વળી આપવા યોગ્ય પણ શું હોય ? પુન: એ જ કહેવું પડે કે આવા જ્ઞાનયોગીનું ચિત્ત શબ્દાતીત છે. શબ્દ દ્વારા તેની કલ્પના કરવી પણ અશક્ય છે. જો અવતરણિકા : જ્ઞાનયોગની પ્રાપ્તિ થતાં જ્યારે કોણ છું' તેનો અનુભવાત્મક બોધ થાય છે ત્યારે યોગી કેવો બને છે, તે જણાવી અધિકારની પૂર્ણાહુતિ કરે છેશ્લોક : इति' सुपरिणतात्मख्यातिचातुर्यकलिर्भवति यतिपतियष्टिौद्भरोद्भासिवीर्यः । हरहिमकरहारस्फारमन्दारगङ्गा તશશુજા ચાઢીયા વશીઃ ૬ (મતિની) શબ્દાર્થ : 9. તિ - આ પ્રમાણે ૨. સુપરિતાત્મ-વ્યતિ-વાતુર્ય-શ૪િ: - સારી રીતે પરિણત થયેલી આત્મખ્યાતિમાં ચતુરાઈ પૂર્વક ક્રીડ઼ા કરનાર ૩/૪, : તિતિ: - જે યતિપતિ (યોગી) . વિમરમવીર્થ: - ચૈતન્યપુંજમાં – જ્ઞાનયોગમાં ઉલ્લસિત વીર્યવાળા ૬. મતિ - થાય છે, ૭/૮. તરીયા યશ:શ્રી: - તેમની યશરૂપી લક્ષ્મી /૧૦. દર-હિંમર-દારશ્નાર-મન્તર--રનતિ»શ - શુધ્રા ચાતુ - શિવજીનો ચન્દ્ર, દેદીપ્યમાન હાર, મોગરાના ફૂલ, ગંગા અને ચાંદીના કળશ જેવી ઉજ્જવળ થાય છે. શ્લોકાર્થ : આ પ્રમાણે = શ્લોક ૩૪માં કહ્યું તે પ્રમાણે સારી રીતે પરિણત પામી ગયેલ આત્મખ્યાતિમાં ચાતુર્યપૂર્વક રમણ કરનાર જે યતિપતિ શુદ્ધ ચૈતન્યથી સભર બનેલ ભાવમાં, એટલે કે જ્ઞાનયોગમાં ઉત્પન્ન થયેલા વીર્યવાળા થાય છે, તેની યશરૂપી લક્ષ્મી શિવજી, ચન્દ્ર, દેદીપ્યમાન હાર, મોગરાના ફુલ, ગંગા અને ચાંદીના કળશ જેવી ઉજ્જવળ થાય છે. ભાવાર્થ : અનાદિકાળથી જીવને જડ એવા શરીરમાં “આ હું છું” એવી બુદ્ધિ પ્રવર્તે છે જે “અન્યતા ખ્યાતિ' એટલે કે વિપરીત બુદ્ધિ છે. જ્ઞાનયોગશુદ્ધિ અધિકારમાં જણાવ્યું તે પ્રમાણે યોગી જ્યારે પરમભાવનો અનુભવ કરે છે, ત્યારે અન્યતાખ્યાતિ ટળે છે અને આત્મખ્યાતિ અત્યંત પરિણત થાય છે. આવા મહાત્મા બાહ્ય સર્વ ભાવો પ્રત્યે ઉદાસીન હોય છે અને આત્મસ્વરૂપના અવલોકન માટે આવશ્યક ચતુરાઈમાં તેઓની પ્રવૃત્તિ પ્રતિદિન વૃદ્ધિ પામે છે. જેના કારણે શુદ્ધ ચૈતન્યભાવમાં એટલે કે જ્ઞાનયોગમાં પ્રવર્તતું વીર્ય વધુને વધુ ઉલ્લસિત થતું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005562
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorKirtiyashsuri
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2012
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy