SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ - ૮ મીમાંસાદર્શન સાર (શ્લોક - ૪૮-૪૯) મીમાંસા દર્શનના પ્રણેતા કોઈ નથી, સર્વજ્ઞ-સર્વદર્શી કે સર્વ શક્તિમાન દેવતામાં મીમાંસકો વિશ્વાસ કરતા નથી. નિત્ય અને અપૌરુષેય “વેદ” જ મીમાંસકોના દેવતા છે. વેદમાં દર્શાવવામાં આવેલાં “કર્મો જ ધર્મરૂપ છે અને તે કર્મોની વ્યવસ્થા કરવી તે જ મીમાંસાનું પ્રયોજન છે. મીમાંસાનો આધારભૂત ગ્રંથ “જૈમિનિ સૂત્રો” છે. જૈમિનિ ઋષિ તેના કર્તા છે. તત્ત્વસમીક્ષાની બાબતમાં મીમાંસાના ત્રણ મત છે. જેનો આધાર ભિન્ન ભિન્ન વિચારસરણી છે. ૧) ગુરુમત : પ્રભાકરમિશ્ર તેના પ્રવર્તક છે. ૨) ભાટ્ટમતઃ કુમારિલ ભટ્ટ તેના પ્રવર્તક છે. ૩) મિશ્રમતઃ મુરારિમિશ્ર તેના પ્રવર્તક છે. ગુરુમત અનુસાર પદાર્થ વ્યવસ્થા : પદાર્થો આઠ છે : દ્રવ્ય-ગુણ-કર્મ-સામાન્ય-પરતંત્રતા-શક્તિ-સાદૃશ્ય અને સંખ્યા. દ્રવ્ય, ગુણ અને કર્મ, કાર્યજનક નથી. તેમનામાં રહેલ “શક્તિ' નામનો પદાર્થ કાર્યજનક છે. સાદૃશ્ય એટલે સમાનતા અને સંખ્યા એટલે એકત્વ-દ્વિવાદિ ગણના. ભાદૃમતાનુસારે પદાર્થ વ્યવસ્થા : પદાર્થો પાંચ છે : દ્રવ્ય-ગુણ-કર્મ-સામાન્ય અને અભાવ. દ્રવ્ય અગિયાર છે. પૃથ્વી-જલ-તેજો-વાયુ-આકાશકાલ-દિશા-આત્મા-મન-અંધકાર અને શબ્દ. ગુણ-કર્મ વગેરે અન્ય પદાર્થોનું વર્ણન વૈશેષિકો પ્રમાણે જ છે. મિશ્રમતાનુસારે પદાર્થ વ્યવસ્થા : ‘મુરસ્કૃતીય: પન્ચા:' આ ઉક્તિ અનુસાર મુરારિમિશ્રની પદાર્થ વ્યવસ્થા તદ્દન અલગ પડે છે. મુરારિના મતે બ્રહ્મ જ એકમેવ સત્ય પદાર્થ છે. લૌકિક વ્યવહારની ઉપપત્તિ માટે અન્ય ચાર પદાર્થો માન્યા છે ૧) ધર્માવિશેષ - ઘટતાદિના આધાર ઘટાદિ. ૨) ધર્મવિશેષ - ઘટનાં આધેય ઘટત્વાદિ. ૩) આધારવિશેષ - કાલકૃત ભેદ. રૂાન ઘટ: તવાન ઘટ: ૪) પ્રદેશવિશેષ - દેશકૃત ભેદ. ગૃહે પટ: મૂતપર: ઇત્યાદિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005561
Book TitleAdhyatma Upnishad Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorKirtiyashsuri
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2012
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy