________________
૨૦૩
બૌદ્ધદર્શન સાર – પરિશિષ્ટ-૫
૨) સાંવૃતિક સત્ય પારમાર્થિક સત્યતા માત્ર ચતુષ્કોટિ નિર્મુક્ત “શૂન્ય'માં છે. સંવૃતિ એટલે કે અવિદ્યા અથવા અજ્ઞાનને કારણે જાગતિક પદાર્થોમાં આભાસમાન થતી સત્યતા તે સાંવૃતિક સત્યતા છે.
બૌદ્ધમતમાં પ્રત્યક્ષ અને અનુમાન એ બે પ્રમાણ છે. પ્રત્યક્ષપ્રમાણ : કોઈ પણ પ્રકારની કલ્પનાથી રહિત જ્ઞાનને પ્રત્યક્ષ કહેવાય છે. નિર્વિકલ્પજ્ઞાન પ્રત્યક્ષ પ્રમાણ છે.
અનુમાન પ્રમાણ હેતુ દ્વારા સાધ્યનું જ્ઞાન તે અનુમાન. હેતુનાં ત્રણ રૂપ છે : ૧) પક્ષસત્ત્વ ૨) સપક્ષસત્ત્વ ૩) વિપક્ષવ્યાવૃત્તિ.
Jain Education Interational
For Personal & Private Use Only
www ainelibrary.org