________________
પ. પૂ. શ્રી સોભાગભાઈની ઓળખ આપતાં શ્રીમદ્જીએ કરેલા સંબોધનો તેમજ સહીઓ
શ્રીમના સર્વ સત્સંગીઓમાં પૂ.શ્રી સૌભાગ્યભાઈ મૂર્ધન્યસ્થાને રહ્યા. પૂ.શ્રી સૌભાગ્યભાઈને લખેલા પત્રોની શરૂઆતમાં કરેલ સંબોધનો તથા અંતમાં કરેલ સહીઓ દ્વારા તે બન્નેનું એકમેક થયેલું હૃદય, શ્રી સૌભાગ્યભાઈ પ્રત્યેનો આદર ભાવ તથા શ્રીમજીની અંતરંગદશા પ્રદર્શિત થાય છે.
સંબોધનો:
આત્મવિવેક સંપન્ન, સૌભાગ્યમૂર્તિ સૌભાગ્ય, પરમપૂજય, કેવળબીજ સંપન્ન, સર્વોત્તમ ઉપકારી, જીવનમુકત, મહાભાગ્ય, શાંતમૂર્તિ, પરમવિશ્રામ, સ્વમૂર્તિરૂપ સૌભાગ્ય, સ્મરણીય મૂર્તિ, હૃદયરૂપ, આત્મસ્વરૂપે, વિશ્રામમૂર્તિ, મુમુક્ષુ પુરુષોએ અનન્ય પ્રેમે સેવન કરવા યોગ્ય, પરમ સરળ અને શાંતમૂર્તિ એવા શ્રી સુભાગ્ય, મુમુક્ષુજનને પરમ હિતસ્વી, સર્વ જીવ પ્રત્યે પરમાર્થ કરુણાષ્ટિ છે જેની એવા નિષ્કામ, ભકિતમાન શ્રી સુભાગ્ય, મુમુક્ષુજનના પરમ વિશ્રામરૂપ, મુમુક્ષુજનના પરમ બાંધવ, પરમ સ્નેહી શ્રી સૌભાગ્ય, મુમુક્ષુ પુરુષ શ્રી સૌભાગ્ય, સત્સંગ યોગ્ય, ઉપકારશીલ, આર્યશ્રી, શાશ્વતમાર્ગનૈષ્ઠિક, પરમાર્થનૈષ્ઠિકાદિ ગુણ સંપન્ન, આત્માથી, આત્મનિષ્ઠ, પરમ ઉપકારી આત્માથી, સરળતાદિ ગુણ સંપન્ન શ્રી સૌભાગ્ય.
સહીઓઃ
વિદ્યમાન રાયચંદના પ્રણામ, વિદ્યમાન આજ્ઞાંકિત રાયચંદના દંડવત, લિખિતંગ ઈશ્વરાપણ, યથાર્થ બોધસ્વરૂપના યથાર્થ, વીતરાગભાવના યથાયોગ્ય, પરમ પ્રેમભાવથી નમસ્કાર પહોંચે, અભિન્નબોધના પ્રણામ, બોધબીજ, સમાધિરૂપ સસ્વરૂપપૂર્વક નમસ્કાર, સમસ્વરૂપશ્રી
Jain Education International
For Personal
Private Use Only
www.jainelibrary.org