________________
‘હે સર્વોત્કૃષ્ટ સુખના હેતુભૂત સમ્યક્દર્શન ! તને અત્યંત ભકિતથી નમસ્કાર હો.”
‘આ અનાદિ અનંત સંસારમાં અનંત અનંત જીવો તારા આશ્રય વિના અનંત અનંત દુઃખને અનુભવે છે.”
‘તારા પરમાનુગ્રહથી સ્વસ્વરૂપમાં રુચિ થઈ. પરમ વીતરાગ સ્વભાવ પ્રત્યે પરમ નિશ્ચય આવ્યો. કૃતકૃત્ય થવાનો માર્ગ ગ્રહણ થયો.”
‘હે જિન વીતરાગ ! તમને અત્યંત ભકિતથી નમસ્કાર કરું છું. તમે આ પામર પ્રત્યે અનંત અનંત ઉપકાર કર્યો છે.”
હે કુંદકુંદાદિ આચાર્યા ! તમારાં વચનો પણ સ્વરૂપાનુસંધાનને વિષે આ પામરને પરમ ઉપકારભૂત થયાં છે. તે માટે હું તમને અતિશય ભકિતથી નમસ્કાર કરું છું.”
| ‘હે શ્રી સોભાગ ! તારા સત્સમાગમના અનુગ્રહથી આત્મદશાનું સ્મરણ થયું તે અર્થે તને
નમસ્કાર હો.’
(આત્યંતર પરિણામ અવલોકન - હાથનોંધ ૨, પાનુ ૮૨૪)
Jain Education International
૨૪ . For Personal & Private Use Only
www.jainelibrary.org