________________
ઉદય જોઈને ઉદાસપણું ભજશો નહીં. સ્વસ્તિ શ્રી સાયલા શુભસ્થાને સ્થિત, મુમુક્ષુજનને પરમ હિતસ્વી, સર્વ જીવ પ્રત્યે પરમાર્થ કરુણા-દૃષ્ટિ છે જેની, એવા નિષ્કામ, ભકિતમાન શ્રી સુભાગ્ય પ્રત્યે, શ્રી ‘મોહમયી’ સ્થાનેથી...........ના નિષ્કામ વિનયપૂર્વક યથાયોગ્ય પ્રાપ્ત થાય.
(પત્રાંક : ૪૦૨, વર્ષ ૨૫મું)
આપના સમાગમની હાલમાં વિશેષ ઇચ્છા રહે છે, તથાપિ તે માટે કંઈ પ્રસંગ વિના યોગ ન કરવો એમ રાખવું પડયું છે. અને તે માટે બહુ વિક્ષેપ રહે છે.”
| ‘તમને પણ ઉપાધિજોગ વર્તે છે. તે વિકટપણે વેદાય એવો છે, તથાપિ મૌનપણે સમતાથી તે વેદવો એવો નિશ્ચય રાખજો. તે કર્મ વેદવાથી અંતરાયનું બળ હળવું થશે.”
શું લખીએ ? અને શું કહીએ? એક આત્મવાર્તામાં જ અવિચ્છિન્ન કાળ વર્તે એવા તમારા જેવા પુરુષના સત્સંગના અમે દાસ છીએ. અત્યંત વિનયપણે અમારો ચરણ પ્રત્યયી નમસ્કાર સ્વીકારજો. એ જ વિનંતી.”
દાસાનુદાસ રાયચંદના પ્રણામ વાંચજો.
(પત્રાંક : ૪૫૩, વર્ષ ર૬મું)
પરમસ્નેહી શ્રી સુભાગ્ય,
‘આપને પ્રતાપે અત્રે કુશળતા છે. આ તરફ દંગો ઉત્પન્ન થવા વિષેની વાત સાચી છે. હરિ-ઇચ્છાથી અને આપની કૃપાથી અત્રે કુશળક્ષેમ છે.”
(પત્રાંક : ૪૬૧, વર્ષ ર૬મું)
*
*
Jain Education International
For Personal
trivate Use Only
www.jainelibrary.org