________________
અને એ જ અમે મોટો ભાગ્યોદય માનીશું.
(પત્રાંક : ૨૫૯, વર્ષ ૨૪મું)
ઈશ્વરેચ્છા હશે તો પ્રવૃત્તિ થશે; અને તેને સુખદાયક માની લઈશું, પણ મન મેલાપી સત્સંગ વિના કાલક્ષેપ થવો દુર્લભ છે. મોક્ષથી અમને સંતની ચરણ-સમીપતા બહુ વહાલી છે; પણ તે હરિની ઇચ્છા આગળ દીન છીએ. ફરી ફરી આપની સ્મૃતિ થાય છે.
(પત્રાંક : ર૬૯, વર્ષ ૨૪મું)
ૐ બ્રહ્મ સમાધિ ‘શ્રી સુભાગ્ય પ્રેમસમાધિ વિષે વર્તે છે.”
- અપ્રગટ સતુ. (પત્રાંક : ૩૦૬, વર્ષ ૨૫મું)
*
*
માગી ખાઈને ગુજરાન ચલાવશું; પણ ખેદનહીં પામીએ; જ્ઞાનના અનંત આનંદઆગળ તે દુ:ખ તૃણ માત્ર છે” આ ભાવાર્થનું જે વચન લખ્યું છે, તે વચનને અમારો નમસ્કાર હો ! એવું જે વચન તે ખરી જોગ્યતા વિના નીકળવું સંભવિત નથી.”
(પત્રાંક : ૩૨૨, વર્ષ ૨૫મું)
‘ત્યાગને ઇચ્છીએ છીએ; પણ થતો નથી. તે ત્યાગ કદાપિ તમારી ઇચ્છાને અનુસરતો કરીએ, તથાપિ તેટલું પણ હાલ તો બનવું સંભવિત નથી.”
(પત્રાંક : ૩૩૪, વર્ષ ૨૫મું)
Jain Education International
For Personal Private Use Only
www.jainelibrary.org