SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ અને એ જ અમે મોટો ભાગ્યોદય માનીશું. (પત્રાંક : ૨૫૯, વર્ષ ૨૪મું) ઈશ્વરેચ્છા હશે તો પ્રવૃત્તિ થશે; અને તેને સુખદાયક માની લઈશું, પણ મન મેલાપી સત્સંગ વિના કાલક્ષેપ થવો દુર્લભ છે. મોક્ષથી અમને સંતની ચરણ-સમીપતા બહુ વહાલી છે; પણ તે હરિની ઇચ્છા આગળ દીન છીએ. ફરી ફરી આપની સ્મૃતિ થાય છે. (પત્રાંક : ર૬૯, વર્ષ ૨૪મું) ૐ બ્રહ્મ સમાધિ ‘શ્રી સુભાગ્ય પ્રેમસમાધિ વિષે વર્તે છે.” - અપ્રગટ સતુ. (પત્રાંક : ૩૦૬, વર્ષ ૨૫મું) * * માગી ખાઈને ગુજરાન ચલાવશું; પણ ખેદનહીં પામીએ; જ્ઞાનના અનંત આનંદઆગળ તે દુ:ખ તૃણ માત્ર છે” આ ભાવાર્થનું જે વચન લખ્યું છે, તે વચનને અમારો નમસ્કાર હો ! એવું જે વચન તે ખરી જોગ્યતા વિના નીકળવું સંભવિત નથી.” (પત્રાંક : ૩૨૨, વર્ષ ૨૫મું) ‘ત્યાગને ઇચ્છીએ છીએ; પણ થતો નથી. તે ત્યાગ કદાપિ તમારી ઇચ્છાને અનુસરતો કરીએ, તથાપિ તેટલું પણ હાલ તો બનવું સંભવિત નથી.” (પત્રાંક : ૩૩૪, વર્ષ ૨૫મું) Jain Education International For Personal Private Use Only www.jainelibrary.org
SR No.005560
Book TitleRaj Hriday
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy