________________
અમારો ખેદ મટે એમ માનીએ છીએ.”
(પત્રાંક : ૨૫૫, વર્ષ ૨૪મું)
પરમ પૂજ્યજી,
આપનો કાગળ ૧ ગઈ કાલે કેશવલાલે આપ્યો. જેમાં નિરંતર સમાગમ રહેવામાં ઈશ્વરેચ્છા કેમ નહીં હોય એ વિગત જણાવી છે.
સર્વ શક્તિમાન હરિની ઈચ્છા, સદેવ સુખરૂપ જ હોય છે, અને જેને કાંઈ પણ ભકિતના અંશો પ્રાપ્ત થયા છે એવા પુરુષે તો જરૂર એમ જ નિશ્ચય કરવો કે “હરિની ઈચ્છા સદેવ સુખરૂપ જ હોય છે.”
આપણો વિયોગ રહેવામાં પણ હરિની તેવી જ ઈચ્છા છે, અને તે ઈચ્છા શું હશે તે અમને કોઈ રીતે ભાસે છે, જે સમાગમ કહીશું.
શ્રાવણ વદમાં આપને વખત મળે તેવું હોય તો પાંચ પંદર દિવસ માટે સમાગમની ગોઠવણ કરવાની ઇચ્છા કરું.
જ્ઞાનધારા” સંબંધી મૂળમાર્ગ અમે તમને આ વખતના સમાગમમાં થોડો પણ કહીશું; અને તે માર્ગ પૂરી રીતે આ જ જન્મમાં તમને કહીશું એમ અમને હરિની પ્રેરણા હોય તેવું લાગે છે.
તમે અમારે માટે જન્મ ધર્યો હશે એમ લાગે છે. તમે અમારા અથાગ ઉપકારી છો. તમે અમને અમારી ઇચ્છાનું સુખ આપ્યું છે. તે માટે નમસ્કાર સિવાય બીજો શું બદલો વાળીએ?
પણ અમને લાગે છે કે અમારે હાથે હરિ તમને પરાભકિત અપાવશે; હરિના સ્વરૂપનું જ્ઞાન કરાવશે;
૧૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org