________________
મારા મરણ વખતે બધી મિલકત અહીં પથરાવજો,
મારી નનામી સાથ કબ્રસ્તાનમાં પણ લાવજો, જે બાહુબલથી મેળવ્યું તે ભોગવી પણ ના શક્યો, અબજોની દૌલત આપતાં પણ આ સિકંદર ના બચ્યો; મારું મરણ થાતાં બધા હથિયાર લશ્કર લાવજો, પાછળ રહે મૃતદેહ આગળ સર્વેને દોડાવજો, આખા જગતને જીતનારું સૈન્ય પણ રડતું રહ્યાં, વિકરાળ દળ ભૂપાલને નહીં કાળથી છોડાવી શક્યું; મારા બધા વૈદ્યો, હકીમોને અહીં બોલાવજો, મારો જનાજો એ જ વૈદ્યોને ખભે ઉપડાવજો, કહો દર્દીઓના દર્દને દફનાવનારું કોણ છે ??? દોરી તૂટી આયુષ્યની તો સાંધનારું કોણ છે ??? બાંધી મુઠ્ઠીને રાખતાં જીવો જગતમાં આવતાં, ને, ખાલી હાથે આ જગતથી સૌ જીવો ચાલ્યા જતાં, યૌવન ફના, જીવન ફના, જર ને જગત પણ છે ફના, પરલોકમાં પરિણામ ફળશે, પુણ્યનાં ને પાપનાં.
*
*
*
(૩૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org