SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણમાં તમારી તે માટેની ધગશ, ઊંડાઈ અને ઉત્સાહ હશે. તે તે પ્રમાણે બનશે જ્યારે તેનો સતત પણે આનંદ સાથે વારંવાર પીછો કરવામાં આવશે. શુદ્ધ મનને વિકસીત કરો. મન, તમારા વિચારોને અનુરૂપ શરીર મેળવે છે. વિચાર એક એવી શક્તિ છે કે જે માણસની અંદરની ક્રિયાઓને બદલાવે છે, ફેરફાર કરે છે. સુધારે છે. ઔદારિક શરીરની અનવ્યવસ્થિતિ અને બિનકાર્યદક્ષતા એ શારીરિક રોગ કહેવાય છે અને મનમાં થતો સંઘર્ષ માનસિક રોગ છે. આ બન્નેનું મૂળ અજ્ઞાનતા છે અને તેને સાચા જ્ઞાન દ્વારા જ સુધારી શકાય છે. જ્યારે તમે જગતના અનુભવથી ચિંતા કરો છો, ત્યારે માનસિક હતાશાથી મનની શાંતિમાં ખલેલ પડે છે. દરેક હતાશાવાળા અને શાંતિનો ભંગ કરનારા વિચારો તમારા મગજમાં ઘૂસે છે તેની અસર શરીરની પેશીઓ ઉપર થાય છે અને રોગ ઉત્પન્ન કરે છે. બધા જ ખોટા વિચારો રોગ ઉત્પન્ન થવાના કારણો છે અને તે શરીરના મૃત્યુની ખબર આપનાર છે. હકીકતમાં બધા જ રોગો અને તેના ભોગવટાનું મૂળ કારણ અશાંત માનસિક તથા લાગણીશીલ સ્વભાવ અને સ્થિતિ છે. દરેક સારો વિચાર હૃદયને બરાબર કાર્ય કરતું કરે છે, પાચન તંત્રને સુધારે છે અને રસ ઝરવાની જે ગ્રંથીઓ છે તે બરાબર કામ કરે છે. S Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005558
Book TitleVichar Shakti
Original Sutra AuthorN/A
AuthorShivanand Swami, Raj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2011
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy