SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ વિચારો અને કાર્ય એકબીજા સાથે સંકળાયેલા છે. જાગૃત બનો અને ફક્ત તમારા મનોમય જગતમાં સારા વિચારોને જ પ્રવેશવા દો. તમારી હાલની જીંદગીના ત્રણ હેતુ (મુદ્દા) છે. (૧) શારીરિક (૨) માનસિક અને (૩) આધ્યાત્મિક. ઉત્સાહિત વિચારો દ્વારા, જેવાં કે “તમે શરીર નથી.” “તમે આ શરીરમાં થોડો સમય રહેવાના છો” તમે શારીરિક આવેગોની ઉપર ઉઠો. આભાસી વ્યક્તિત્વનું મહોરું તમારી ઉપર ચઢાવો નહીં. સાચા બનો અને તમારા વિચારો પ્રત્યે જાગૃત-સાચા બનો. વિચારોનું ઝરણું બે તરફ વહે છે. - સારી તરફ અથવા ખરાબ તરફ. આધ્યાત્મિક ધ્યેય તમારી સામે છે. તમે કેટલી ઝડપથી કે કેટલા ધીરેથી તેના તરફ વળો છો તે તમારા વિચારો ઉપર આધાર રાખે છે. મૃત્યુ તમારી સહેલાઈથી નજીક નહીં આવે, જો તમે તમારા ગળામાં વિષમય વિચારોનો હાર નહીં પહેરો તો. જે કાંઈ તીવ્રતાથી તમારા મનથી વિચારશો તે જ બનવાનું છે અને તેની અસર થવાની છે. - તમારી જિંદગીમાં જે કાંઈ બને છે તે તમારી અંદર જે રહેલું છે તેમાંથી જ આવે છે એટલે કે પૂર્વના વિચારોનું જ પરિણામ છે. આ જગતમાં એવી કોઈ વસ્તુ નથી જે આપણે ન મેળવી શકીએ. તમે અનંત શક્તિથી અને ઉત્સાહથી ભરપુર એવા સમુદ્રમાં જીવી રહ્યા છો. પણ તેનો તેટલો જ લાભ તમને મળે છે કે જેટલા પ્રમાણમાં તમે તેને માનો છો અને કલ્પના કરી શકો છો. તમારા વિચારો તેટલા જ પ્રમાણમાં શક્તિશાળી બને છે જેટલા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005558
Book TitleVichar Shakti
Original Sutra AuthorN/A
AuthorShivanand Swami, Raj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2011
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy