SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ સાધક છે તે તેને તરત જ પોતાના વિવેક દ્વારા બહાર કાઢી નાખે છે. તેઓ કોઈ જાતની ઈચ્છાને માન આપતા નથી. તેઓ હંમેશાં આત્મામાં જ આનંદી થઈને રહે છે.....વૈરાગ્ય અને અભ્યાસ દ્વારા વિચારોને (ચિંતનને) રોકી દો અને તમારી જાતને શુદ્ધ જાગૃત અવસ્થામાં લાવો, જયાં વિચારો અથવા સંકલ્પ નથી ત્યાં શુદ્ધ દશા છે અથવા જીવન મુક્ત દશા છે. (પદાર્થના) વિચારોથી આકર્ષણ ઉભુ થાય છે. આકર્ષણથી તેની ઈચ્છા જન્મે છે. જયારે ઈચ્છા પૂરી થતી નથી ત્યારે ક્રોધ ઉત્પન્ન થાય છે, ક્રોધમાંથી હતાશા જન્મે છે, હતાશાથી યાદશક્તિ જવાબ દઈ જાય છે. યાદ રહેતું નથી), યાદ શક્તિ ઘટવાથી બુદ્ધિ ચાતુર્ય ઘટે છે. બુદ્ધિના ઘટવાથી માણસ બરબાદ થાય છે. (જીવન હારી જાય છે). જો તમે ક્યારેય નાશ ન પામે તેવી શાંતિ મેળવવા માંગતા હો તો પદાર્થોનો વિચાર ન કરો પણ હમેશાં અમર, શાશ્વત અને સુખરૂપ એવા આત્માનો જ વિચાર કરો. ઈચ્છાઓ જાતે કાંઈ નુકસાન કર્તા નથી. તેઓ વિચારોની શક્તિ વડે શક્તિશાળી બને છે. ત્યારે જ તે વધારે મોટો ઉલ્કાપાત સર્જે છે વિચારો છે તે ઈંટો છે જેના દ્વારા આંતરિક ચારિત્ર ઘડી શકાય છે. (ચારિત્ર જન્મતું નથી તેને બનાવવું પડે છે). સારો ચારિત્રશીલ માણસ અત્યારે પણ સુખી જિંદગી માણે છે અને પછી પણ સુખી જીંદગી મેળવે છે. બળવાન ઉમદા ચારિત્ર મજબૂત અને ઉમદા વિચારો દ્વારા મેળવાય છે. સારૂં ચારિત્ર એ યથાર્થ પુરૂષાર્થનું ફળ છે. તે પોતાના સાહસ દ્વારા ઉભું કરેલું પરિણામ છે. - જો તમારી ઈચ્છા ઘટાડો તો, ઈચ્છાઓને પૂરી કરવા પ્રયત્ન ન કરો તો અને તમારી ઈચ્છાઓને એક પછી એક કાઢી નાખો તો તમારા વિચારોની તીવ્રતા અને ટકવાપણાની શક્તિ ઘટતી જશે. “ઓછા વિચારો, [58] Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005558
Book TitleVichar Shakti
Original Sutra AuthorN/A
AuthorShivanand Swami, Raj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2011
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy