SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ વિચારણા મન તથા મગજમાં નવા તંદુરસ્ત વિચારોની અસર ઊભી કરે છે અને નવા સંસ્કારો ઉત્પન્ન કરે છે. તો પછી તમે વધારે મહેનત વગર એકાગ્રતા મેળવી શકશો. જો ઈન્દ્રિયોને (વિષય તરફથી) પાછી ખેંચી લેવામાં આવે અને મન શાંત હોય તો, એક એવી સ્થિતિ આવે છે કે ઈન્દ્રિયોના વિષયો સાથેનો સંબંધ રહેતો નથી. આ જ આનંદની સ્થિતિ છે અને શુદ્ધ આત્મા અથવા નિર્વિકલ્પ સમાધિ છે કે જે જન્મ મરણના ફેરા કરાવનાર સંસ્કારોને બાળી નાખે છે, ક્ષય કરી નાખે છે. આસક્તિ એજ મૃત્યુ છે. જયારે પણ આસક્તિ હોય ત્યારે તેની સાથે ક્રોધ, ભય, ઈચ્છાઓ હોય છે. આસક્તિ કર્મ બંધ કરાવે છે. જો આપણે આત્મા પ્રાપ્ત કરવા ઈચ્છતા હોઈએ તો આપણે બધા જ પ્રકારના આસક્તિના ભાવોને તોડવા પડશે. સૌથી પ્રથમ પગથીયું આસક્તિભાવ તોડવાનું છે તે એ છે કે “જે શરીર વડે તમે ઓળખાઓ છો તે શરીરથી જ છુટા પડો. સતત તેમજ તીવ્ર યોગ સાધના અને શાન સાધનાથી તમે વિચારોના તરંગોથી મુક્ત થઈ શકશો. આવા વિચારોના તરંગોથી-વિકલ્પોથી મુક્ત થયેલા જ્ઞાનીઓને, જેવા કે જડ ભરત વામદેવ - અત્યારે પણ યાદ કરવામાં આવે છે. તેઓએ ક્યારેય ચોપડી લખી નથી, કોઈ શિષ્યો બનાવ્યા નથી. છતાં આ વિકલ્પોથી રહિત જ્ઞાનીઓએ માણસના મન ઉપર જબરદસ્ત અસર ઉભી કરેલી છે. આપણે પણ જ્ઞાન મેળવી શકીએ. જે આપણે ઈન્દ્રિયોના વિષયોની ઈચ્છાઓ અને ખરાબ મગજની સ્થિતિમાંથી મુક્ત બનીએ તો. જયારે મનમાં ઈચ્છાઓ ઉત્પન્ન થાય છે ત્યારે જગતમાં રાચનારા યુવાન માણસો તેને આવકારે છે અને પૂરી કરવા પ્રયત્ન કરે છે. પણ જે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005558
Book TitleVichar Shakti
Original Sutra AuthorN/A
AuthorShivanand Swami, Raj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2011
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy