SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ કારણ કે તેનો સ્વભાવ અનાદિકાળથી રખડપટ્ટીનો થઈ ગયો છે. સાંસારિક વ્યવહારમાં રોકાયેલાં મનને તેનાથી છૂટુ પાડવું તે પર્વત ઉપર ચઢવા કરતાં પણ કપરું કાર્ય છે. જો તમે તમારી જાતે જન્મ મરણના ફેરામાંથી છુટવા માંગતા હો તો મનને એવી તાલીમ આપવી પડશે કે જે હંમેશાં ભગવાન આત્મા તરફ જ રહે. કોઈ પણ જાતના ધ્યેય વગર રખડવાની ટેવવાળા મનને અંકુશમાં રાખવા પ્રયત્ન કરો. તમારે તમારા મનને દરરોજ શિસ્તમાં રાખવા પ્રયત્ન કરવો પડશે. આંતરિક જાગૃતિ વિચારોને કાબુમાં લેવા માટે રાખવી પડશે. તમારા વિચારોના સાક્ષી બની જાવ. જ્યારે વાસનાઓના અભાવથી મન કાર્ય કરતું ન દેખાય ત્યારે મનોનાશની સ્થિતિ ઉભી થાય છે. અથવા મનને શાંત કરવામાં આવ્યું છે અથવા બાહ્ય જગતથી છૂટું પડી ગયું છે. (૧૫) વિચારની સંસ્કૃતિ - જ્યારે તમારા મનમાં ઈચ્છાઓ ઉભી થાય ત્યારે તેને પૂરી કરવાનો પ્રયત્ન ન કરો, તેને તરછોડી દો, છોડી દો. તો મન સૂક્ષ્મ થઈ જશે. તેની બહાર જવાની ટેવ છે તે ઘટતી જશે. શમ પ્રાપ્ત કરવા માટે પાંચ જ્ઞાનેન્દ્રિયો (કાન, ચામડી, આંખ, જીભ અને નાકને) પણ કાબુમાં કરવી પડશે. સતત પણે વાસના કે ઈચ્છાઓને દૂર કરતા રહેવું એ મનની શમ-શાંત સ્થિતિ પ્રાપ્ત કરાવે છે. જે શમ કહેવાય. જેવા વિચારો આવે કે તરત જ તમે તમારી જાતને પુરૂષાર્થથી અથવા મનને બીજા આધ્યાત્મિક વિચારોવાળી વસ્તુમાં, પ્રાર્થનામાં કે જપમાં લઈ જાઓ. ખરેખર જે તમે ખરાબ વિચારોને બહાર કાઢી નાંખવા માંગતા હો તો સતત જાગૃતિ રાખો તેથી સ્વપ્રમાં પણ તેવા વિચારો ઉભા થાય તો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005558
Book TitleVichar Shakti
Original Sutra AuthorN/A
AuthorShivanand Swami, Raj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2011
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy