SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ વિચારો દાખલ થતા ધ્રુજશે. આ તમારી આધ્યાત્મિક પ્રગતિની નિશાની છે. તમે જ્યારે ભૂતકાળમાં કરવામાં આવેલા કૃત્યોનો વિચાર કરશો તો તમને તેનાથી દુઃખ થશે. આ તમારી આધ્યાત્મિક શક્તિ ઉચ્ચ ભૂમિકા તરફ જઈ રહી છે તે દર્શાવે છે. જ્યારે ખરાબ વિચારો પૂર્વના સંસ્કારોને કારણે ભૂતકાળમાં કરેલી ભૂલો કરવા તરફ લઈ જશે ત્યારે તમારૂં શરીર આંચકો અનુભવશે. તમે ધ્યાન કરવાનું આંતરિક શક્તિ અને સદ્દાનતથી ચાલુ રાખો. (તો) બધા જ ખરાબ કાર્યોની યાદ શક્તિ વિગેરે તેની પોતાની મેળે નાશ પામશે. શાંત થઈ જશે, ત્યારે તમે સંપૂર્ણ શુદ્ધતા અને શાંતિને પ્રાપ્ત કરશો. જ્યારે તમે સારા અને આધ્યાત્મિક વિચારોને તમારામાં દાખલ કરવાનો પ્રયત્ન કરશો ત્યારે જુના ખરાબ વિચારો તમારા ઉપર બહુ જ નિર્દયતાથી અને બમણા જોરથી હુમલો કરશે. કુદરતમાં હંમેશાં પ્રત્યાઘાત કરવાની શક્તિ રહેલી છે. જુના ખરાબ વિચારો જબરદસ્તી કરીને કહેશે કે “હે માણસ ! ક્રુર ન બન, તેં જ અમને તારા મન રૂપી કારખાનામાં રહેવા માટે પરવાનગી અનાદિ કાળથી આપેલી છે, તેથી અમને અહીં રહેવાનો જન્મસિદ્ધ હક્ક છે. અમે અમારૂં આવું સ્થાન છોડીશું નહીં તો પણ હિંમત હારશો નહીં. તમારી ધ્યાનની ક્રિયા નિયમિતપણે કર્યા જ કરો છેવટે આ ખરાબ વિચારો પાતળા - મંદ પડી જશે અને નાસી જશે. સાચી વાત છે કે હવે જ્યારે ખરાબ વિચારો ધ્યાન દરમ્યાન આવે છે તો તમને તે ગમતા નથી. તે દર્શાવે છે કે તમે આધ્યાત્મિક માર્ગમાં પ્રગતિ કરી રહ્યા છો. યાદ રાખો ! જગતમાં રાચતા લોકો માણસને તેની બાહ્ય વર્તણુંકને Jain Education International [44] For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005558
Book TitleVichar Shakti
Original Sutra AuthorN/A
AuthorShivanand Swami, Raj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2011
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy