SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ મોટામાં મોટાં માણસો ગરીબાઈમાં જન્મ્યા છે અને પ્રતિકુળ સંજોગોમાં રહ્યા છે. ઘણા કે જેઓ ગંદી વસ્તીમાં અને ખરાબ વાતાવરણમાં જન્મ્યા છે તેઓ જગતની ઊંચામાં ઊંચી જગ્યાને પામ્યા છે. બહુમાન મળ્યું છે. કોઈપણ જે સાચો પુરૂષાર્થ કરે છે તે ઊંચામાં ઊંચી પદવી સુધી ઉપર ઉઠે છે. દરેક માણસ પોતાના સંસ્કાર લઈને જન્મે છે. મન એ કોરા કાગળ જેવું નથી. તે પૂર્વ જન્મના સંસ્કારોથી આચ્છાદિત થયેલું છે. સંસ્કાર છે તે આંતરિક શક્તિ છે. આ સારા સંસ્કારો માણસની કિંમતી મિલક્ત છે. જો તે વિપરીત સંજોગોમાં મૂકાયો હોય તો પણ આ સંસ્કારો તેને ખરાબ, ન ગમતાં, ઉત્તેજીત બનાવોમાં રક્ષણ પૂરું પાડે છે. તેઓ તેના વિકાસમાં અને મૂલ્યાંકનમાં ઉપર ઉઠવામાં મદદ કરે છે. દરેક તક જે તમને મળે છે, તે તમોને ઉપર ઉઠવા માટેની અને તમારી પ્રગતિ માટે જ છે. તમો જરૂરીયાતવાળાને તમારી સેવા આપીને મદદરૂપ થઈ તેને સારો બનાવો. તે માણસ કે જે પોતાની જાતને ખરાબ પરિસ્થિતિમાં પણ ઉપર ઉઠાવે છે અથવા પ્રગતિ કરે છે. તે ઘણો મજબુત મનોબળવાળો હોય છે. માણસ છે તે વાતાવરણ પ્રમાણેનું પ્રાણી નથી અથવા બનાવો લક્ષી પ્રાણી નથી. તે પોતાના વિચારો અને પુરૂષાર્થ દ્વારા વાતાવરણને ફેરવી શકે છે. તીવ્ર પુરૂષાર્થ ધ્યેયને પણ બદલી શકે છે. તેથી પુરૂષાર્થ કરો અને પ્રકૃતિને જીતી લો અને આનંદ રૂ૫ આંતરિક સત્ ચિદાનંદ રૂપી આત્મામાં જોડાઓ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005558
Book TitleVichar Shakti
Original Sutra AuthorN/A
AuthorShivanand Swami, Raj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2011
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy