SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ શું આવરણ રહિત કરવા માટે પ્રગટ સ્વરૂપે રહેલા શ્રી અરિહંત પ્રભુના નિમિત્તની જરૂર પડે છે. તેમના ગુણગ્રામ કરતા કરતા, આત્મા એમનો ગુણાનુયાયી થઇને તેમના જેવું જ સંપૂર્ણ ગુણીપણું પામે છે. એટલે કે જ્ઞાની ભગવંતનું શુદ્ધ નિમિત્ત મળવાથી જ આપણું તત્ત્વ પ્રગટે છે. આત્મસિદ્ધિકારજ ભણી રે લાલ, સહજ નિયામક હેતુ રે; વા. નામાદિક જિનરાજના રે લાલ, ભવસાગરમાં સેતુ રે. વા. .. તુ. ૭ આત્મસિદ્ધિ સહજપણે પ્રાપ્ત કરવાને માટે સહજ નિયામક એવા શ્રી વીતરાગદેવ-જ્ઞાની ભગવંતને મેળવીને નિશ્ચયથી ભવ્ય જીવ મોક્ષપદને છે મેળવે. તેના માટે શ્રી અરિહંત પરમાત્માના નામ, સ્થાપના, દ્રવ્ય અને 3 ભાવરૂપ ચારે નિક્ષેપા સંસાર સાગરમાં સેત-પુલ સમાન છે. એટલે કે શ્રી અરિહંતનું નામ શ્રવણ કરવું, ઉચ્ચારવું તે નામ-નિક્ષેપ કહેવાય. શ્રી અરિહંતની મુદ્રાની સ્થાપના કરવી તે સ્થાપના નિક્ષેપ કહેવાય. શ્રી અરિહંત ભગવંતના શારીરિક તેમજ બાહ્ય અતિશયને વિચારવા તે દ્રવ્ય નિક્ષેપ કહેવાય. શ્રી અરિહંત ભગવંતના ગુણોનું અવલંબન લેવું તે ભાવનિક્ષેપ કહેવાય છે. આ ચારે નિક્ષેપા ભવરૂપ સમુદ્રમાં સાધકને માટે સેતુ કહેતા પુલ સમાન છે. એટલે કે તે પ્રમાણે ચારે ? નિક્ષેપાને અવલંબીને આત્મસિદ્ધિ કરી શકાય. સ્થંભન ઇંદ્રિયયોગનો રે લાલ, રક્ત વરણ ગુણ રાય રે; વા. દેવચંદ્ર વંદે સ્તવ્યો રે લાલ, આપ અવર્ણ અકાય રે. વ...તુ. ૮ અનંતગુણના સ્વામી એવા શ્રી પદ્મપ્રભુના શરીરની રક્ત વર્ણની લાલ કાંતિ સાધક માટે ઇંદ્રિયો તથા મન, વચન, કાયાના યોગોને શું સ્થિર કરવા માટે થંભન મંત્ર જેવી છે. એટલે કે ઇંદ્રિયો તથા યોગોને સ્થિર કરવા માટે આલંબન રૂપ થાય છે. દેવેન્દ્રોના સમૂહથી સ્તુતિ કરાયેલા પ્રભુ શુદ્ધ, નિર્મળ છે. તેમજ તેઓ અવર્ણ, અગંધ, અફરસ , શ્રીમદ દેવચંદ્રજી કત ચોવીસી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy