SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ TX જગતજંતુ કારજ રુચિ રે લાલ, સાધે ઉદયે ભાણ રે; વા.' ચિદાનંદ સુવિલાસતા રે લાલ, વાધે જિનવર ઝાણ રે. વા.... તુ.૪ સર્વ જગતવાસી જીવો પોતાની રુચિ પ્રમાણે કાર્ય કરવા માટે સૂર્યના ઉદય થવાપણાને નિમિત્ત તરીકે લે છે. એટલે કે સૂર્યનો ઉદય થતાં સર્વ જગતના જીવો બાહ્ય પૌલિક વસ્તુઓને પ્રાપ્ત કરવા માટે પુરુષાર્થ પોતાની રુચિ પ્રમાણે આદરે છે. તેમ મારો આત્મા ચિત્ એટલે જ્ઞાન અને આનંદ એટલે અવ્યાબાધ સુખરૂપ આનંદવાળો નિશ્ચયનયથી છે, પણ તે ચિદાનંદ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે આપ જ જેવાનું પુષ્ટ નિમિત્ત મળવું જરૂરી છે. શ્રી અરિહંત ભગવાન ચિદાનંદ સ્વરૂપ રમણતા પ્રાપ્ત કરવા માટે નિમિત્ત કારણ છે. લબ્ધિ સિદ્ધિ મંત્રાક્ષારે રે લોલ, ઉપજે સાધન સંગ રે; વા. સહજ અધ્યાતમ તત્ત્વતા રે લાલ, પ્રગટે તસ્વીરંગ રે. વા.ત. ૫ વિવિધ પ્રકારની લબ્ધિઓ મંત્રાક્ષરોની સાધના દ્વારા મેળવી શકાય છે પણ તે લબ્ધિ, સિદ્ધિ મેળવવા માટે ઉત્તર સાધકની જરૂર પડે છે અને તો જ તે સિદ્ધિઓ કે લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. તેવી જ રીતે ? સહજ સ્વભાવરૂપ આત્માથી તન્મયપણે રહેલી જ્ઞાન-દર્શનાદિક આત્મિક [; પરિણતિ વસ્તુધર્મે રહેલી છે છતાં પણ તેની પ્રાપ્તિ માટે શુદ્ધ નિર્મલ, આત્મસ્વરૂપ ભોગી, પુગલના ભાવોથી રહિત એવા જ્ઞાનીપુરુષના આલંબનથી તત્ત્વનો રંગ પ્રગટે છે ત્યારે જ કર્મથી રહિત એવો ; નિરાવરણ પ્રગટ ભાવ ઉપજે છે. લોહ ધાતુ કંચન હુવે રે લાલ, પારસ ફરસન પામિ રે; વા. હું પ્રગટે અધ્યાતમદશા રે લાલ, વ્યક્ત ગુણી ગુણગ્રામ રે. વા.... તુ. ૭ લોઢાની અંદર સુવર્ણ થવાની સત્તા છે, તો પણ પારસનું બાહ્ય છે હું નિમિત્ત પામીને પોતાના સોનાપણાના પર્યાયને મેળવે છે. તેમ ભવ્ય છે જીવની પણ શુદ્ધ આત્મિક દશા સત્તારૂપે રહેલી છે, તેને પ્રગટરૂપે વીર-રાજપથદર્શિની - ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy