SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ યોગોના પ્રવર્તનથી રહિત છો. તેમજ આપ સ્વ એટલે પોતાના આત્મતત્ત્વ હું તેના ઉપયોગી છો એટલે કે તેને સંપૂર્ણપણે જાણો છો. તેમજ પર ! કહેતાં બીજા અનંત આત્માઓ તેમજ બાકીના સર્વ દ્રવ્યો તેના જાણનાર છે છો. સ્વપરનું જાણપણું હોવા છતાં ભોગવટો તો એક આત્મધર્મગુણોનો કરો છો. જે પોતાની સત્તા ધર્મ તેના રસિયા છો. આપે જે છે આત્માની અનંત શક્તિ છે, તેને કર્મદળને ખપાવીને પ્રગટ કરી છે. એટલે કે સર્વ પ્રકારનું કર્તુત્વ, ભોકતૃત્વ, જ્ઞાયકત્વ, પારિણામિકત્વ, ગ્રાહકત્વ આદિ શક્તિ પ્રવર્તી રહી છે. તથાપિ તેને પ્રવર્તાવવામાં કોઈ જાતનો પ્રયોગ આપને કરવો પડતો નથી. સહજપણે થઈ રહ્યું છે. હું વસ્તુ નિજ પરિણતે સર્વ પરિણામકી, એટલે કોઈ પ્રભુતા ન પામે; કરે જાણે રમે અનુભવે તે પ્રભુ, તત્ત્વ સ્વામિત્વશુચિતત્ત્વધામે.....અહો. ૫ ? દરેક દ્રવ્ય નિત્યાનિત્ય આદિ ધર્મવાળા હોવાથી પોતાની પરિણતિમાં હું જ પરિણમે છે પરંતુ તેટલા માત્રથી તે સર્વ દ્રવ્યો પ્રભુતા એટલે પ્રભુત્વને પામતા નથી. પરંતુ જે પોતાના સ્વભાવનો કર્તા થાય, વસ્તુ ; માત્રનો જ્ઞાતા થાય, સ્વગુણોમાં રમણતા કરનાર થાય, આત્મ સ્વભાવનો અનુભવી હોય તેમજ વસ્તુ સ્વભાવનો એટલે પોતાના સ્વભાવનો સ્વામી હોય તથા શુદ્ધ તત્ત્વરૂપ શુચિનું ધામ બને તે પરમાત્મા કે પરમેશ્વર કહેવાય છે. જીવ નવિ પુગલી, નવ પુગ્ગલ કદા, પુગલાધાર નહિ તાસરંગી; પરતણો ઇશ નહીં અપરએશ્વર્યતા,વસ્તુધર્મે કદાન પર સંગી...અહો. ૭ જીવ એ પુદ્ગલી પદાર્થ નથી, પુદ્ગલ નથી, તેમ પુદ્ગલનો આધાર પણ નથી. વસ્તુ સ્વરૂપે એ પુદ્ગલના રંગવાળો પણ નથી. એટલે તેનો અનુરાગી નથી. પોતાની સ્વરૂપ સત્તા સિવાય જે અન્ય તેનો તે સ્વામી 3 નથી, કારણ કે પરની ઐશ્વર્યતા સ્વરૂપને વિષે હોય નહીં તેમજ વસ્તુ શું સ્વરૂપે જીવ પરભાવનો સંગી પણ નથી. ૭૨ વીર-રાજપથદર્શિની - ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy