SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ * શું એકત્ત્વતારૂપ સિદ્ધતા થઈ જાય છે. અને એમ કરીને સાધક ચોક્કસ પોતાના સ્વરૂપને ગ્રહણ કરે. સ્વસ્વરૂપ એકત્વતા, સાધે પૂર્ણાનંદ હો મિત્ત; રમે ભોગવે આત્મા, રત્નત્રયી ગુણવૃંદ હો મિત્ત. » કર્યું. ૮ આ પ્રમાણે સ્વરૂપમાં રમણતારૂપ સ્વભાવને મેળવીને તેમાં એકતાન થઇને રમણતા કરવાથી આત્મા પૂર્ણાનંદ સ્વરૂપને પ્રગટાવે છે. અને તે આત્મા સદાકાળ -જ્ઞાન-દર્શન-ચારિત્ર-રત્નત્રયી આદિ પોતાના અનંત ગુણોમાં રમણતા કરે છે, તેનો ભોગવટો કરે છે. અભિનંદન અવલંબને, પરમાનંદ વિલાસ હો મિત્ત; દેવચંદ્ર' પ્રભુ સેવના, કરી અનુભવ અભ્યાસ હો મિત્ત. - કર્યું. ૯ આ પ્રમાણે શ્રી અભિનંદન સ્વામી, શ્રી અરિહંત ભગવાનની ભક્તિથી તેમજ આલંબનથી આત્મા પોતાની પરમાનંદના વિલાસરૂપ સમાધિને 3 પ્રાપ્ત થાય છે. માટે દેવોમાં ચંદ્ર સમાન એવા શ્રી અરિહંત પરમાત્માની છું અનુભવના અભ્યાસપૂર્વક ભક્તિ કરતો થાય છે. ૫. શ્રી સુમતિ જિન સ્તવન અહો શ્રી સુમતિ જિન, શુદ્ધતા તાહરી, સ્વગુણ પર્યાય પરિણામ રામી; હું નિત્યતા એકતા અસ્તિતા ઇતરયુત,ભોગ્ય ભોગી થકો પ્રભુઅકામ.અો. ૧ $ હે સુમતિનાથ જિનેશ્વર આપની શુદ્ધતા જે સ્વગુણ પર્યાયમાં રમણતા 3 કરવા રૂપ છે તે અતિશય આશ્ચર્યકારક છે કારણ કે તે શુદ્ધતા $ નિત્યતા, એકતા-અનેકતા, અસ્તિતા-નાસ્તિતા તથા તેનાથી પરસ્પર શ્રીમદ્દ દેવચંદ્રજી કત ચોવીસી GE Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy