SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ [, ; ગયો અને મારું પોતાનું જે અવ્યાબાધ સ્વરૂપ છે તેની ઇચ્છા કરી. તે કે પોતાના આત્માના કર્તાપણાથી પ્રાપ્ત થાય, કયા સાધનથી પ્રાપ્ત થાય અને અવ્યાબાધ સુખ સાધ્ય થયું તેની જાણ થઈ. અત્યાર સુધી વિષય સુખની અભિલાષા (ઇચ્છા) હતી. પણ હવે આરોપિત સુખનો ભ્રમ 35 ટળી જવાથી આપે મેળવેલ અવ્યાબાધ સુખની અભિલાષા (ઇચ્છા) થઈ, અને કર્તા તે મેળવવાના કારણો જ મેળવે. આપ કરતાં અવ્યાબાધ સુખ સાધ્ય થયું એટલે કર્તાનું સાધ્ય અને સાધન બન્નેને યાદ કર્યા. ગ્રાહકતા સ્વામિત્વતા રે, વ્યાપક ભોકતાભાવ; - કારણતા કારજ દશા રે, સકલ ગ્રહ્યો નિજભાવ. ... અજિત. ૮ શું આપની કૃપા થવાથી પરભાવનો ત્યાગ કરી સ્વભાવનું ગ્રાહકપણું, સ્વામીપણું, વ્યાપકપણું, ભોકતૃતા અને કારણતા તથા કાર્યનું ભાન છું થયું તેથી સંપૂર્ણપણે પોતાના સ્વભાવને જ ગ્રહણ ર્યો – ધારણ છે. કર્યો, તેમાં જ રમણતા પ્રાપ્ત કરી. . . 3 શ્રદ્ધા ભાસને રમણતા છે, દાનાદિક પરિણામ મારા મા સકળ થયા સત્તા રસી રે, જિનવર દરિસણ પામ.... અજિત. ૯ " હે જીનેશ્વર ભગવંત! આપના દર્શન થવાથી આત્મસત્તાની શ્રદ્ધા થઈ, જાણ થઈ, તેમાં જે રમણતા પ્રાપ્ત થઈ, દાનાદિક આપવા રૂપ 3 પરિણામ આત્મસત્તા મેળવવા માટે રુચિવાળા થયા છીએ. હે જિનેશ્વર! અવ્યાબાધ નિઃકર્મ પદ તે જ મારું સાધ્ય છે એવી શ્રદ્ધા થઈ અને સ્વગુણની જાણ થઈ, આત્મધર્મરૂપ ક્ષમાદિ તેમાં રમણતા થઈ તથા તેના સહકારરૂપ તેના દાન-ગુણ આદિ તેનો ભોગે સ્વગુણની થયો. તિણે નિર્ધામક માહણો રે, વૈદ્ય ગોપ આધાર; “Èવચંદ્ર” સુખ સાગરુ રે, ભાવ ધરમ દાતાર. ... અજિત. ૧૦ તેથી હે ભગવાન આપ મારા નિર્ધામક એટલે સુકાની છો. માહણ શ્રીમદ્દ દૈવચંદ્રજી કૃત ચોવીસી [8] Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy