SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ પુષ્ટ હેતુ છે એમ કહ્યું છે. ૭. સાતમા સ્તવનમાં સિદ્ધ ભગવંતો અનંતગુણના આનંદને અનુભવે છે તેનું વર્ણન કરવામાં આવે છે. તે જાણીને સાધકને તેવા આનંદ અને સુખને પ્રાપ્ત કરવાની રુચિ જાગે છે. અને તેનાં ઉપાયરૂપ રત્નત્રયીની આરાધનામાં તત્પર બનવાની પ્રેરણા મળે છે. ૮. આઠમા સ્તવનમાં પ્રભુ પૂજાના વિવિધ સ્વરૂપો-પ્રકારો બતાવવામાં $ આવ્યા છે. પરમાત્માનાં ગુણોના આલંબને થતું ધ્યાન-અપવાદ-ભાવસેવા છે અને તેનાં દ્વારા ઉપજતી-પ્રગટતી આત્મવિશદ્ધિ એ ઉત્સર્ગ ભાવસેવા છે. અપવાદ ભાવસેવા કારણ છે ઉત્સર્ગ તેનું કાર્ય છે. અહીંયા સાત પ્રકારની અપવાદ અને સાત પ્રકારની ઉત્સર્ગ ભાવસેવા વર્ણવી છે. જે $ સાધક માટે તેની સાધનાનો માપદંડ થઈ શકે તેમ છે. અપૂનબંધકની ભૂમિકાથી પ્રારંભી યાવતું અયોગી અવસ્થા સુધીની ભૂમિકાનું પૃથક્કરણ આમાં કરવામાં આવ્યું છે. ૯. નવમા સ્તવનમાં પરમાત્મ દર્શનના ફળરૂપે આત્મદર્શન કેવી $ રીતે થાય તેનું વર્ણન છે. ભગવાનની શાંતરસથી ભરપૂર મુદ્રાથી સાધક પોતાના આત્મસ્વભાવની સન્મુખ થવા માટે પુરુષાર્થ આદરે છે. અને તેમ કરતા આત્માના નિર્મળ, અખંડ અલિપ્ત સ્વભાવની $ ઓળખાણ થતાં તેની આત્મસ્વરૂપમાં સહજ રમણતા થાય છે. ૧૦. દશમા સ્તવનમાં પ્રભુના ગુણોની અનંતતા, નિર્મળતા અને હું પૂર્ણતાનું સ્વરૂપ બતાવ્યું છે. અને તેમની આજ્ઞાનું પાલન અવ્યાબાધ સુખમાં સાધકને પહોંચાડે છે એમ કહ્યું છે. ૧૧. અગિયારમા સ્તવનમાં શુકલ ધ્યાનના હેતરૂપ ગુણ-પર્યાયોનાં છે ચિંતન અને ધ્યાન કરવાની રીત બતાવી છે. તેનું ધ્યાન કરવાથી શું આત્મસ્વરૂપમાં તન્મયતા પ્રગટ થાય છે. પ૬ વીર-રાજપથદર્શિની - ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy