SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ : બૌદ્ધમતના અનુરાગી એમ કહે છે આત્મા ક્ષણિક છે. જો એ માન્યતાને માનવામાં આવે તો આત્માને બંધ-મોક્ષ, સુખ-દુઃખ કાંઈ રહેતું નથી. આનો વિચાર મનમાં કરો. ભૂત ચતુષ્ક વર્જિત આતમતત્ત્વ, સત્તા અલગી ન ઘટે; અંધ શકટ જો નજર ન દેખે, તો શું કીજે શકટે ? ૬ અર્થ : નાસ્તિક મતવાળા એમ કહે છે કે જે ભૂત-પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ એ ચાર પદાર્થ-ભેગા થયા એમાંથી આત્મતત્ત્વ પ્રગટે છે. એટલે એ ચારમય જ આત્મતત્ત્વ છે. આત્માની અલગ સત્તા ઘટતી નથી. શ્રી આનંદઘનજી મહારાજ કહે છે કે કોઈ આંધળો માણસ ગાડાને દેખે નહીં તેમાં ગાડાનો શું દોષ ? તેના જેવી આ વાત છે. એમ અનેક વાદી મત વિભ્રમ, સંકટ પડિયો ન લહે; ચિત્ત સમાધિ તે માટે પૂછું, તુમ વિણ તત્ત કોઈ ન કહે. ૭ અર્થ : આમ અનેક વાદી-ભિન્ન ભિન્ન મત, વિભ્રમ ઉત્પન્ન કરી જીવને મુંઝવણમાં પાડે છે. તેથી ચિત્તની સમાધિ થતી નથી માટે હે મુનિસુવ્રત સ્વામી ! તમોને ચિત્ત સમાધિ માટે હું વિનંતિ કરું છું. કેમ કે તમારા સિવાય યથાર્થ કોઈ કહી શકે નહીં એમ હું માનું છું. વળતું જગગુરુ ઇણિપેરે ભાખે, પક્ષપાત સબ ઠંડી; રાગદ્વેષ મોહ પખ વર્જિત, આતમ શું રઢ મંડી. ૮ આતમધ્યાન કરે જો કોઉ, સો ફીર ઇણમેં નાવે; વાગજાલ બીજું સહું જાણે, એહ તત્ત્વ ચિત્ત લાવે. ૯ અર્થ : : જગતગુરુ એવા તીર્થંકર ભગવાન કહે છે કે બધો પક્ષપાત મૂકી દઈને, જે આત્માઓ રાગ, દ્વેષ અને મોહ છોડી દે છે અને લગન લગાવીને આત્માનું ધ્યાન કરે છે. તે જીવો ફરી વાર આ સંસારમાં આવતા નથી. આ તત્ત્વવચન ચિત્તમાં લાવવું અને તે સિવાયનું બીજું બધું વાણીની જાળ-વાણી વિલાસ સમજવો. શ્રી આનંદઘનજીની ચોવીસી Jain Education International For Personal & Private Use Only ૪૧ www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy