SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ : હે મુનિસુવ્રત જિનેશ્વર ભગવાન ! મારી એક અરજી આપ . . સાંભળો. હે જગતગુરુ, આત્મત્ત કેવી રીતે જણાય એનો વિચાર મને શું કહો કારણ કે, આત્મતત્ત્વ જાણ્યા વિના નિર્મલ-નિર્વિકલ્પ સમાધિ. થાય નહીં. કોઈ અબંધ આતમતા માને, કિરિયા કરતો દીસે; ક્રિયાતણું લ કહો કુણ ભોગવે, ઇમ પૂછ્યું ચિત્ત રીસે. ૨ અર્થ : કોઈ કહે છે કે આત્મા ફૂટસ્થ છે, કાંઈ કરતો નથી, એ શું તો નિષ્ક્રિય છે પણ તેનામાં ક્રિયાનું આરોપણ કરવામાં આવે છે. એ બંધાતો નથી એમ માને છે. ચિત્તમાં ગુસ્સો લાવીને પ્રશ્ન કર્યો છે કે જે માણસો ક્રિયા કરીને ધર્મ કરતા હોય છે તેની આ ક્રિયાનાં ફળ કોણ ભોગવશે ? જડ ચેતન એ આતમ એક જ, સ્થાવર જંગમ સરીખો; દુઃખ સુખ શંકર દૂષણ આવે, ચિત્ત વિચારી જો પરીખો. ૩ અર્થ : કોઈ એમ કહે છે કે જડ અને ચેતન એ બંને આત્મા જ ! છે, જંગમ અને સ્થાવર બંને સરખા છે. જો આ અભિપ્રાય પર વિચારીને પરીક્ષા કરીએ તો સુખ અને દુઃખ બંને સરખાં, એવું સંકર દૂષણ આવે. એક કહે નિત્ય જ આતમતત્ત્વ, આતમ દરિસણ લીનો; કૃત વિનાશ અકૃતાગમ દૂષણ, નવિ દેખે મતિ હીણો. ૪ / અર્થ : આત્મદર્શન માટે લીન થયેલા એવા વાદી કહે છે કે આ હું આતમતત્ત્વ નિત્ય જ છે. પરંતુ આનંદઘનજી મહારાજ કહે છે કે કરેલાં કર્મોનો નાશ અને નહીં કરેલા કર્મોનું આવવું તે રૂપ દૂષણને ૬ ઓછી બુદ્ધિવાળા જીવો જોઈ શકતા નથી. સૌગત મતિ રાગી કહે વાદી, ક્ષણિક એ આતમ જાણો; બંધ-મોક્ષ સુખ-દુઃખ ન ઘટે, એહ વિચાર મન આણો. ૫ | ૪૦ | વીર-રાજપથદર્શિની - ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy