SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ કરશે તેઓ ચોક્કસ આનંદઘન પદને પામશે. ૧૯. શ્રી મલ્લિનાથ સ્વામી સેવકકિમ અવગણિયેહો મલ્લિજિન, એ અબશોભા સારી; અવર જેહને આદર અતિ દીએ, તેહને મૂલ નિવારી. ૧ અર્થ: હે શ્રી મલ્લિનાથ ભગવાન !તમો તમારા સેવકને અવગણશો નહીં. જો અવગણશો તો એમાં તમારી શોભા નહીં ગણાય. બીજા $ લોકો જે પરદ્રવ્ય, પરવસ્તુને બહુ આદર આપે છે, તેને આપે આદર તો નથી આપ્યો પરંતુ તેનો જડમૂળથી નાશ કર્યો છે. જ્ઞાનસ્વરૂપ અનાદિ તમારું, તે લીધું તમે તાણી; જુઓ અજ્ઞાન દશા રીસાવી, જાતાં કાણ ન આણી. ૨ શું અર્થ ? હે ભગવાન ! તમારું અનાદિનું જે જ્ઞાનસ્વરૂપ હતું તે તમે ખેંચી લીધું. અને તેથી અજ્ઞાન દશા રિસાઇને ભાગી ગઈ. પણ તેને માટે આપે ન અફસોસ કર્યો કે ન રુદન કર્યું. નિદ્રા, સુપન, જાગર, ઉજાગરતા, તુરિય અવસ્થા આવી; નિદ્રા સુપન દશા રીસાણી, જાણી ન નાથ મનાવી. ૩ અર્થ: તમે નિદ્રા, સ્વપ્ન, જાગર ઉજાગર દશાને છોડીને, (ચોથી) તુરિય અવસ્થાએ પહોંચી ગયા, જેથી નિદ્રા, સુપન વિગેરે દશા રિસાઈ ગઈ. પણ હે ભગવાન ! તમે તેને મનાવી હોય એવું જાણવામાં હું આવ્યું નથી. સમકિત સાથે સગાઈ કીધી, સપરિવારશું ગાઢી; મિથ્થામતિ અપરાધણ જાણી ઘરથી બાહિર કાઢી. ૪ અર્થ : હે ભગવાન ! તમે સમકિત સાથે એના પરિવાર સહિત શ્રી આનંદઘનજીની ચોવીસી ૩૭. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy