SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮. શ્રી અરનાથ સ્વામી ધરમ પરમ અરનાથનો, કેમ જાણે ભગવંત રે; સ્વ પર સમય સમજાવીએ, મહિમાવંત મહંત રે. ૧ અર્થ: હે અરનાથ ભગવાન ! તમારો ઉત્કૃષ્ટ ધર્મ હું કેવી રીતે હું જાણું ? તમે તો મહિમાવાળા મહાન પુરુષ છો. મારે સ્વસમય અને છે પરસમય જાણવા છે, તો તે મહેરબાની કરીને સમજાવો. શુદ્ધાતમ અનુભવ સદા, સ્વસમાય એહ વિલાસ રે; પરબડી બાંહડી જેહ પડે, તે પરસમય નિવાસ રે. ૨ અર્થ પોતાના શુદ્ધ આત્માનો નિરંતર અનુભવ રહે એ સ્વસમયનો વિલાસ છે. એમાં પરવસ્તુનો પ્રતિભાસ થાય એટલે કે પરવસ્તુની શું છાયા પડે તે પરસમય જાણવો. તારા, નક્ષત્ર, ગ્રહ, ચંદ્રની. જ્યોતિ દિનેશ મઝાર રે; દર્શન, જ્ઞાન, ચરણ થકી, શક્તિ નિજાતમ ધાર રે. ૩ અર્થ: જેમ તારા, નક્ષત્ર, ગ્રહ અને ચંદ્રનો પ્રકાશ એ સૂર્યના છે પ્રકાશથી છે તેમ દર્શન, જ્ઞાન, ચારિત્ર એ બધી આત્માની જ શક્તિ છે એમ જાણ. ભારી, પીળો, ચીકણો, કનક અનેક તરંગ રે; પર્યાય દૃષ્ટિ ન દીજીએ, એક જ કનક અભંગ રે. ૪ અર્થ : સોનું ભારે હોય, પીળા રંગનું હોય અને તેમાં ચીકાશ હોય એમ સોનાની અનેક પર્યાય છે, પણ આપણે પર્યાય તરફ દૃષ્ટિ કરવાની નથી, આપણે તો સોનાને એક અભંગ રૂપે જોવાનું છે. દરશન, જ્ઞાન, ચરણ થકી, અલખ સરૂપ અનેક રે; નિર્વિકલ્પ રસ પીજીએ, શુદ્ધ નિરંજન એક રે. ૫ શ્રી આનંદઘનજીની ચોવીસી ૩૫. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy