SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ દેખાતું નથી અને શાહુકાર પણ નથી. તે બધાયમાં છે છતાં બધાયથી અળગું છે એવું અચરજ આ મનમાં છે. જે જે કહુંતે કાન ન ધારે, આપ મતે રહે કાલો; સુરનર પંડિતજન સમજાવે, સમજે ન માહરો સાલો. ૬ અર્થ : હું તેને ઘણું સમજાવું છું, પણ મારી વાત તો તે સાંભળતું જ નથી. અને પોતાના દોઢડહાપણમાં જ રહે છે. દેવ, મનુષ્ય, પંડિત બધા સમજાવે છે પણ મારું સાળું સમજતું જ નથી. મેં જાણ્યું એ લિંગ નપુંસક, સકલ મરદને ઠેલે; બીજી વાતે સમર્થ છે નર, એહને કોઈ ન ઝેલે. ૭ અર્થ : મેં તો માનેલું કે મનની જાતિ નાન્યતર જાતિ છે. તે નપુંસક છે પરંતુ જગતના બધા પુરુષોને-મર્દોને એ ધક્કે ચડાવે છે. ભગવાન, એવું સાંભળ્યું છે કે મર્દ હોય તે બધી રીતે સામર્થ્યવાન છે. પણ આ મનને કોઈ મરદ પકડીને કેદ રાખી શકતો નથી. ૩૪ મન સાધ્યું તેણે સઘળું સાધ્યું, એહ વાત નહીં ખોટી; એમ કહે સાધ્યું તે નવિ માનું, એ કહી વાત છે મોટી. ૮ અર્થ : આગમમાં કહ્યું છે કે જેણે મન વશ કર્યું તેણે બધું વશ કર્યું. આ વાત તો ખોટી નથી પરંતુ કોઈ એમ કહે કે મેં મન અંકુશમાં લઈ લીધું તો એ મારા માનવામાં આવતું નથી. કેમ કે આ વાત તો ઘણી મોટી છે. મનડું દુરારાધ્ય તેં વશ આણ્યું, આગમથી મણિ આપ્યું; આનંદઘન પ્રભુ માહરું આણો, તો સાચું કરી જાણું. ૯ અર્થ : આગમમાંથી મારા જાણવામાં આવ્યું છે કે આ અંકુશમાં ન આવે તેવું મન હે ભગવાન, આપે વશ કરેલ છે પણ હું આપને કહું છું કે જો આપ મારું મન વશ કરી આપો તો વાત સાચી માનું. વીર-રાજપથદર્શિની - ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy