SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ એટલે જેને ગ્રંથિભેદ થયો છે તેવા અને સંવરવાળી ક્રિયાના કરનાર એવા સદ્ગુરુ હોવા જોઈએ. વળી સદ્ગુરુની પરંપરાએ અધિકાર ઉપર આવેલ, નિર્દંભી, પવિત્ર અને અનુભવી હોવા જોઈએ. શુદ્ધ આલંબન આદરે, તજી અવર જંજાલ રે; તામસી વૃત્તિ સવિ પરિહરી, ભજે સાત્ત્વિકી શાલ રે. ૫ અર્થ : બીજી બધી ખટપટની જંજાળ છોડીને ખરેખર જે શુદ્ધ આલંબન છે તેને અવલંબીને પુરુષાર્થ કરનાર હોય. વળી તેમણે તામસી વૃત્તિઓ બધી છોડી દીધી હોય અને સાત્ત્વિક વૃત્તિવાળા હોય એવા સદ્ગુરુ હોવા જોઈએ. (આ ઉપરની બે કડીઓ સદ્ગુરુની ઓળખાણ આપે છે) ફલ વિસંવાદ જેહમાં નહીં, શબ્દ તે અર્થ સંબંધી રે; સકલ નયવાદ વ્યાપી રહ્યો, તે શિવસાધન સંધિ રે. ૬ અર્થ : જે આગમના શબ્દ કે અર્થ સંબંધી ફળમાં વિરોધાભાસ નથી આવતો. અને જેમાં બધાય ‘નય’ આવી જાય છે. આવા ત્રણેય અવિરોધી સાધન-દેવ, ગુરુ, ધર્મનું જોડાણ થઈને તે મોક્ષનું સાધન બની જાય છે. 30 વિધિ પ્રતિષેધ કરી આતમા, પદારથ અવિરોધ રે; ગ્રહણ વિધિ મહાજને પરિગ્રહ્યો, ઇસ્યો આગમે બોધ રે. ૭ અર્થ : મૂળ દ્રવ્ય આત્મા છે. એ પદાર્થ મેળવવાને માટે જે જે ક્રિયાઓની વિધિ બતાવી હોય અને જે જે ક્રિયાનો નિષેધ કર્યો હોય તે પ્રમાણે કરીને મહાજનોએ અગાઉ આત્મા (પદાર્થ) ગ્રહણ કર્યો છે. તે પ્રમાણે ક૨વું એમ આગમોનો બોધ છે. દુષ્ટ જન સંગતિ પરિહરી, ભજે સુગુરુ સંતાન રે; જોગ સામર્થ્ય ચિત્ત ભાવ જે, ધરે મુક્તિ નિદાન રે. ૮ Jain Education International વીર-રાજપથદર્શિની - ૨ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy