SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ છે અધ્યાતમ જે વસ્તુ વિચારી, બીજા જાણ લબાસી રે; વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે, આનંદઘન મતવાસી રે. ૭ અર્થ : જે જીવો મૂળ વસ્તુનો (દ્રવ્યનો) વિચાર કરનારા છે તેઓ ? અધ્યાત્મ માટેના પુરુષાર્થી છે. આ સિવાયના બીજા જીવો જે એમ ન કરે તે વેશધારી (મૂરખ) છે. આનંદઘનજી મહારાજ તો એમ કહે છે કે જે પ્રમાણે પદાર્થ છે તે પ્રમાણે યથાતથ્ય જાણીને પ્રકાશ કરે છે તે મારા મતવાળા છે. ૧૨. શ્રી વાસુપૂજ્ય સ્વામી વાસુપૂજ્ય જિન ત્રિભુવનસ્વામી, ધનનામી પરનાણી રે; નિરાકાર સાકાર સચેતન, કરમ કરમ ફલકામી રે. ૧ અર્થ: વાસુપૂજ્ય ભગવાન ત્રણેય ભુવનના સ્વામી છે. ધનનામી છે અને નામ પ્રમાણે પરિણામી છે. { આત્મા સામાન્ય ઉપયોગે નિરાકાર છે પણ વિશેષ ઉપયોગે સાકાર : ડું છે. જ્ઞાનાદિ ગુણો સહિત છે અને સચેતન છે. શુભાશુભ ઉપયોગ હું કર્મના કર્તા છે અને કર્મના ફળની ઇચ્છાવાળા છે. નિરાકાર અભેદ સંગ્રાહક, ભેદ ગ્રાહક સાકારો રે; શું દર્શન શાન દુભેદ ચેતના, વસ્તુ ગ્રહણ વ્યાપારો રે. ૨ શું અર્થ : તે નિરાકાર છે. નિરાકાર એ રીતે કે તેમાં કોઈ પણ કે પરવસ્તુનો સંગ્રહ થતો નથી. અને અભેદ છે માટે નિરાકાર છે. જ્યારે હું સામે કષાય, કર્મ કે પદાર્થ આવે ત્યારે ભેજવાળા થઈ જાય છે એટલે હું સામે આવેલ ચીજનું પ્રતિબિંબ પડે છે. એટલે આકારવાળા થઈ જાય જ છે. આમ ચેતનાના બે ભેદ પડે છે ૧. દર્શન ચેતના, ૨. જ્ઞાન ચેતના. શ્રી આનંદઘનજીની ચોવીસી ૨૧. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy