SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ શક્તિ વ્યક્તિ ત્રિભુવન પ્રભુતા, નિર્ચથતા સંયોગે રે; યોગી ભોગી વક્તા મોની, અનુપયોગી ઉપયોગે રે. ૫ અર્થ : પોતાના આત્મદ્રવ્યની શક્તિ પ્રગટ થઈ છે તેથી હે ? ભગવાન ! આપ ત્રણેય ભુવનના પ્રભુ થયા છો. પરના-વ્યક્તિના કે હું દ્રવ્યના – જ્યાં સંયોગો થાય છે તેમાં આપ નિગ્રંથ છો. ગ્રંથિભેદ ; થયો છે એટલે આપને કાંઈ પણ અસર થતી નથી. આપ અયોગી 3 છો. યોગ સાધીને દ્રવ્ય પ્રગટ કર્યું છે. તીર્થંકર થયા છો. સ્વસ્વરૂપના છે હું ભોગી છો. આપની વાણીની શક્તિ એટલે કે વચનાતિશય એવો છે છે કે દિવસોના દિવસો સુધી બોલી શકો છો અને મૌન પણ રહી શકો છો. આપ સદાય સ્વરૂપમાં હોવાથી, જાગૃત હોવાથી બહારના બધાય વિષય કષાયના યોગમાં, વ્યાપારોમાં અનુપયોગી છો અને પોતાના સ્વભાવમાં ઉપયોગી છ. ઇત્યાદિક બહુ ભંગ ત્રિભંગી, ચમત્કાર ચિત્ત દેસી રે; અચરિજનારી ચિત્ર-વિચિત્રા, આનંદઘન પદ લેતી રે. ૭ અર્થ : હે ભગવાન ! ઘણા ભાંગાવાળી આવી ત્રિભંગીઓ ચિત્તને હું ચમત્કાર કરે તેવી અચરજ કારી છે. જુદી જુદી ચિત્રવિચિત્ર, વિવિધ સ્વભાવવાળી એવી ત્રિભંગીને સમજીને ધારણ કરનાર આનંદઘનનું પદ લે છે. ( ૧૧. શ્રી શ્રેયાંસનાથ સ્વામી - શ્રી શ્રેયાંસજિન અંતરજામી, આતમરામી નામી રે; અધ્યાતમ મત પૂરણ પામી, સહજ મુગતિ ગતિ ગામી રે. ૧ અર્થ : શ્રી શ્રેયાંસનાથ તીર્થકર ભગવાન બધાના અંતઃકરણના હું જાણનાર છે. પૂર્ણ આત્મામાં રમનારા પ્રખ્યાત છે. અધ્યાત્મ માર્ગ-મોક્ષ છે શ્રી આનંદઘનજીની ચોવીસી ૧૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy