SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ હું શોકના પ્રસંગમાં સમપણે રહેવાની સમર્થતા જેવા ગુણો શોભે છે. સર્વ જંતુ હિતકરણી કરૂણા, કર્મ વિદારણ તીણ રે; હાનાદાન રહિત પરિણામી, ઉદાસીનતા વિક્ષણ રે. ૨ અર્થ? મને જે સુખ મળ્યું છે તે સુખ સકળ જગતના લોકો પામે છે તેવા ભાવવાળી, તે જીવોનું હિત કરવાવાળી કરૂણા આપનામાં સહજ ડું છે. ઘોર કર્મોને ક્ષય કરવામાં આપનો ઉપયોગ તીક્ષ્ણ છે. લાભ હોય કે અલાભ હોય તેની ઉપેક્ષા કરવાવાળા આપ છો. સમપરિણામ જે ૨ રહે છે તે ઉદાસીનતા નામનો ગુણ પણ આપનામાં વર્તે છે. પરદુઃખ છેદન ઇચ્છા કરૂણા, તીક્ષણ પરદુઃખ રીઝે રે; હું ઉદાસીનતા ઉભય વિલક્ષણ, એક ઠામે કે સીઝે રે. ૩ અર્થ : અન્ય જીવોના દુઃખોનું છેદન કરવા રૂપ આપની ઇચ્છા એ આપનો કરૂણા ગુણ છે. બીજા જીવોના ભવભ્રમણ ટાળી અને તે એ લોકો ઉલ્લાસ પામે એ બાબત આપનો તીક્ષ્ણ ઉપયોગ છે. આ પુરુષાર્થ કરવા છતાં એના પરિણામ પ્રત્યે આપને ઉદાસીનતા ભજે છે. આથી તે ભગવાન ! હું વિચારમાં પડી જાઉં છું કે આવા પરસ્પર 3 વિરોધી ગુણો એક સ્થળે કેવી રીતે ટકી શકે ? છતાં ટકી રહ્યા છે. અભયદાન તે અલક્ષય કરૂણા, તીક્ષણતા ગુણ ભાવે રે; પ્રેરણ વિણ કૃત ઉદાસીનતા, ઈમ વિરોધ મતિ નાવે રે. ૪ અર્થ સમસ્ત મળ કષાય નાશ કરવાની જે કરૂણા આપને વર્તે છે ? તે એવી છે કે બીજાને અભયદાન આપે છે. અને આપના પોતાના જે ગુણો છે તે પ્રગટ કરવામાં આપ બહુ તીક્ષ્ણ ઉપયોગવાળા છો. ? આપને ઇચ્છાઓ તો છે નહીં, પ્રેરણા વિના પણ જે જે ઉદયમાં આવે છે તે તે પ્રત્યે ઉદાસીનતા - સમપણું છે એમ એક બીજી સ્થિતિમાં હું વિરોધાભાસ આવતો નથી. ૧૮ વીર-રાજપથદર્શિની - ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy