SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ નિશંક થઈ શુભ વચન કહેશો, તો જગ શોભા અધિકી લેશો રે - સુખકારી સાહેબજી. અમે તો રહ્યા છીએ તુમને રાગી રખે આપ રહો મન ખાંચી રે. - સુખકારી સાહેબજી. ૩ જો આપ મારા પ્રત્યે નિઃશંક થઈ શુભ વચનો વડે માર્ગે ચડાવશો છે તો આપની શોભા યશ જગતમાં ખૂબ જ વિસ્તારને પામશે. અમે તો આપને સંપૂર્ણપણે ઇચ્છી રહ્યા છીએ. આપનામાં જ રાચી રહ્યા છીએ. શું તો હે પ્રભુ હવે આપ આપનું મન ખેંચીને નહીં રાખતા અમને સંતોષ શું થાય તેમ વર્તવા વિનંતિ કરું છું. અમે તો કિશું અંતર નવિ રાખું, જે હોવે હૃદયે તે કહી દાખું રે – સુખકારી સાહેબજી, ગુણીજન આગળ ગુણ કહેવામાં જે વારે પ્રીત પ્રમાણે રે થાયે રે સુખકારી સાહેબજી..૪ 3. હે પ્રભુ અમે આપની સાથે મનથી અંતર રાખતા નથી અને જે 3 કોઈ ભાવ મનમાં ઊઠે છે તે આપને કહી દઈએ છીએ. જો આપની શું સાથે અંતર રાખું તો તે સાચી પ્રીતનું લક્ષણ નથી. વળી ગુણ ૮નની આગળ ગુણની વાત થાય. હે પ્રભુ ! આપ અનંતગુણી છો તો મારા ઉપર એવી પ્રીત રાખો કે આપના આ સેવકનું કાર્ય સિદ્ધ થાય. વિષધર ઇશ હદયે લપટાણો, તેહવો અમને મળ્યો છે ટાણો રે સુખકારી સાહેબજી, નિરવહેશો જો પ્રીત અમારી, કળી કરતિ થાશે તમારી રે – સુખકારી સાહેબજી.... ૫ છું $ જેમ શંકરના ગળામાં સર્પ વીંટાયો છે તેમ, અનંતગુણનિધાન ! એવા વીતરાગ દેવ! આપના સંસર્ગમાં મારા જેવો દુર્ગુણી આવ્યો છે. દિ જો મારી પ્રીતિને નિભાવીને મારા પર આપની કૃપાદૃષ્ટિ વરસાવશો ૨૦. વીર-રાજપથદર્શિની - ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy