SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ રૂપવિજયના શિષ્ય શ્રી મોહનવિજયજી કહે છે કે હે ભગવાન ! . શું આપની માયા મારા મનમાં બરાબર લાગી છે. આપના પ્રત્યેના પ્રેમથી મારું મન ભરાયેલું છે. ૧. શ્રી નમિનાથ સ્તવન આજ નમિજિન રાજને કહીએ મીઠે વચન પ્રભુ મન લહીએ રે - સુખકારી સાહેબજી, પ્રભુ છો નિપટ નિઃસ્નેહી નગીના, તો હિય છો સેવક આધીના રે - સુખકારી સાહેબજી. ૧ છે હે નેમિનાથ ભગવાન ! આપનો ભક્ત આપને મીઠાં વચનો વડે વિનંતિ કરે છે તો તેને આપ મનમાં ધારણ કરજો. હે પ્રભુ! આપ તો શું સંપૂર્ણ નિરાગી-સ્નેહ વિનાના છો છતાં પણ સેવકના હૃદયને આધિન આપ બનો છો. સુનજર કરશો તો વરશોવડાઈ, શું કહેશે પ્રભુને લડાઈ રે - સુખકારી સાહેબજી, તમે અમને કરશો મોટા . કુણ કહેશે રે પ્રભુ તમને ખોટા - સુખકારી સાહેબજી. ૨ અમારા ઉપર સુદૃષ્ટિ કરશો તો આપને મોટાઈ મળશે. જો આપ $ અમારા ઉપર સુદૃષ્ટિ નહીં કરો તો પણ અમારે આપની સાથે લડાઈ કરવી નથી. હે પ્રભુ ! આપ મોટા બન્યા છો અને આપ અમને મોટા બનાવશો તો એમાં આપની જ યશકીર્તિ વધશે. આપને આ બાબતમાં આપ કાંઈ ખોટું કરો છો એમ કોઈ કહેશે નહીં. શ્રી મોહનવિજયજી કૃત ચોવીસી ૨૧૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy