SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ છે હે પ્રભુ આપ મને પ્યારા લાગો છો, તેથી આપે મારી સાથે પ્રેમથી હું રહેવું જોઈએ એના બદલે આપ તો મારાથી જુદા થઈ સિદ્ધ થઈ ગયા છો. તો આમા કઈ રીતે સમજવી ? હે પ્રભુ અરજ કરનારને આપનું િજ આલંબન છે, વળી ભક્તિ કરનાર ભક્ત ઉપર વાત્સલ્ય વરસાવનાર શું છો એટલે કે તેનું ફળ આપનાર છો. હે ભગવાન ! તેથી આપને વિનંતિ કરું છું કે આપ મારા મનમંદિરમાં આવીને વાસ કરો. હો પ્રભુ મુજ પ્યારા ખીણ ન વિસારું તુજ જો, તંબોલીના પત્ર તણી પેરે ફરતો રે લોલ; હો પ્રભુ મુજ પ્યારા લાગી મને માયા જોર જો, 'દિલધર વાસી સુસાહિબ તુમને હેરતો રે લોલ.... ૨ હે પ્રભુ! આપ મને પ્યારા હોવાથી એક ક્ષણ પણ આપને વિસરતો $ નથી. તંબોલીના પાનની જેમ વારંવાર આપનું નામ હું ફેરવ્યા જ કરું છું. સમર્યા જ કરું છું. હે પ્રભુ મને આપના પ્રત્યે પ્રશસ્ત રાગરૂપી માયા લાગી છે તેમજ હેર સાહિબ ! આપ મારા મનરૂપી ઘરમાં વસનારા થયા છો તેથી તમારું નામ અહર્નિશ લીધા કરું છું. એક ક્ષણ પણ આપને ભૂલતો નથી. હો પ્રભુ મુજ પ્યારા તે નિઃસ્નેહી જિનરાય જો, એક પછી પ્રીતલડી કિણ પર રાખીએ રે લોલ; હે પ્રભુ મુજ પ્યારા અંતરગતિની મહારાજ જો, વાતલડી વિણ સાહેબ કેહને દાખીએ રે લોલ.... ૩ હે મારા વહાલા પ્રભુ! આપ રાગ-દ્વેષ વગરના જિનેશ્વર ભગવંત ફૂ છો. તો આપની સાથે એક પક્ષીય પ્રેમ-પ્રીતિ કેવી રીતે કરવી કે જેથી શું આપ પ્રસન્ન થઈ મારી વિનંતીને સ્વીકારી મારી સાથે પ્રીત કરો. મેળાપ થવા માટે અન્યોન્યની પ્રીતિ જરૂરી જણાય છે. વળી એક વાત તો ચોક્કસ છે કે આપ જેવા સર્વજ્ઞ સિવાય મારા અંતરની વાત કોને છે કહેવાય ? અમારા જેવાને માટે વાત કરવાનું સ્થાન આપ એક જ છો. શ્રી મોહનવિજયજી કૃત ચોવીસી | છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy