SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ આપવી પડશે. કારણ કે પ્રભુને પોતાન પાસે લાવવા માટે આપની ભક્તિ રૂપી સેવા જ ઉપયોગી થશે અને સેવારૂપી એકતાર આપની સાથે ત્યારે મને આપે શાબાશી આપજો. પાણી ખીરને મેળે, હો કીણ ખેલે, એકાંત હોઈ રહે, કાંઈ નહીં રે પોલણનો જોગ; . જો પ્રભુ દેખું નયણે, હો કહી વયણે, સમજાવું સહી, કાંઈ તે ન મિલે સંજોગ... અર. ૬ જેમ દૂધ અને પાણી એકરૂપ થઈ જાય છે તેમ એવી કઈ કળા કરું કે જેના વડે હું આપની સાથે અભેદ ભાવે થઈ એકાંત સ્થિતિમાં રહી શકું. પરંતુ એવી રીતે મળવાનો જોગ-૨સ્તો મને દેખાતો નથી. જો પ્રભુને આંખો વડે જોઈ શકું તો વચન દ્વારા સમજાવી શકું અને ભેટો થઈ શકે પણ તે થવાનો અવસર દેખાતો નથી. મનમેળુ કીમ રીઝે, હો શું કીજે, અંતરાય એવડો, કાંઈ નિપટ નહેજા નાથ; સાત રાજને અંતે, હો કિણ પાખે, તે આવીને મળું, કાંઈ વિકટ તુમારોજી પાથ... અર. ૭ હે પ્રભુ મારા મનના નાથ ! આપ કઈ રીતે મારા ઉપર પ્રસન્ન થશો ? શું કરવાથી પ્રસન્ન થાશો ? એવું તે મેં કયું અંતરાય કર્મ બાંધ્યું છે કે આપ પ્રસન્ન થતા નથી. આપ મારા પર પ્રસન્નતા ઉતારતા નથી. તો પછી આપ નહેજા નાથ એટલે આપ હેત વિનાના સ્વામી છો એમ મારે કહેવું પડશે. વળી આપ સાત રાજલોક દૂર જઈને બેઠા છો તો કેવા ઉપાય કરીને આપને આવી મળે તે બતાવો. આપને મળવા માટેનો રસ્તો બહુ જ વિકટ-મુશ્કેલીવાળો છે. આપને “મન મેળુ” બિરૂદ સાચવવું હોય તો અમને રસ્તો બતાવો. શ્રી મોહનવિજયજી કૃત ચોવીસી Jain Education International For Personal & Private Use Only ૨૧૩ www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy