SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ દે એમ કહેવામાં આવે છે કે વિષ્ણુ ભગવાન વરાહનો જન્મ ધારણ હું કરીને પૃથ્વીને ઝીલી રહ્યા છે. જ્યારે અહીંયા તો ભગવાનના જમણા 3 જાનમાં વરાહ લંછન છે. તેથી એમ કહી શકાય કે વિષ્ણુ ભગવાન છે વરાહનું રૂપ લઇને લંછનના બહાને પ્રભુના ચરણમાં રહ્યા છે. કારણ છે કે તીર્થકર ભગવાનને ચક્રવર્તી, વાસુદેવ વિગેરે નમન કરે છે અને હું તેમની સેવા પણ ઉઠાવે છે તેથી આ યુક્તિ બરાબર બેસે છે. લીલા અકળ લલિત પુરસોત્તમ, શિવવધૂ રસ ભીનોજી, વેધક સ્વામીથી મિલવું સોહીલું, જે કોઈ ટાળે કનોજી.... વિ. ૩ શું કોઇથી કળી ન શકાય એવી જ્ઞાનરૂપી લીલાએ કરીને પ્રભુ સહિત 3 કું છે. મનોહર પણ છે, પુરુષોને વિષે ઉત્તમ પુરુષ છે. મુક્તિરૂપ સ્ત્રીનાં ? છે રસમાં પોતે લીન થયેલા છે. વેધક એટલે જ્ઞાનરૂપી રસના જાણ એવા ૩ સ્વામીને મળવું તે સુલભ છે, જો ભક્ત થયેલો એવો જીવ પોતાનામાં ? શું રહેલો માનરૂપ કીનો (કાંટો) દૂર કરી દે તો. પ્રસન્ન થઈ જગનાથ પધાર્યા, મનમંદિર મુજ સુધર્યોજી; હું નટનવલ વિવિધગતિ જાણું, ખિણ એક તો લહો મુજરોજી. વિ. ૪ મારા ઉપર પ્રસન્ન થઈને હે સકળ લોકના નાથ ! આપ મારા મનમંદિરમાં પ્રગટ થયા છો. તેથી મારું મન કર્મભાવથી મુક્ત થઈ સુધરી ગયું છે તેથી હે ભગવાન ! હું મારી નાટક કરવાની સર્વ પ્રકારની કલા આપને બતાવવા માંગું છું. તો તે નાટકને ક્ષણ માત્ર દેખીને મારો મુજરો લ્યો. ચોરાશી લખ વેશ હું આણું, કર્મ પ્રતીત પ્રમાણેજી, અનુભવ દાનદીઓ તો વારુ, ચેતન કહો મયાણજી. વિ. ૫ હે પ્રભુ! હું ચોરાશી લાખ વેશ, કર્મના ઉદય પ્રમાણે ભજવી શકું છું હું એવો નાટકીયો છું. માટે મને અનુભવ દાન પ્રાપ્ત કરાવો તો વારુ. ૪ ૧૯૮ વીર-રાજપથદર્શિની - ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy