SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ રાગદ્વેષને જીતીને વિતરાગી ભગવંત બની ગયા છો. આ તમારી રીત સારી નથી. સાચી રીત તો ત્યારે જ માનું કે મારી પ્રીત આપની સાથે થઈ જાય. $ દિલની જે વાતો હો કિણને દાખવું?શ્રી વાસુપૂજ્ય જિનરાય;ગિ. ખીણ એક આવી હો પડેઝ સાંભળો, કાંઈ મોહન આવે દાય. મિ. સા. ૭ છું હે શ્રી વાસુપૂજ્ય જિનરાજ ! મનની ગુપ્ત વાત બે જણને જ શું કરી શકાય. એક તો દુઃખ કાપી શકે એવા શક્તિશાળીને અને બીજા શું દુઃખમાં ફક્ત દિલાસો આપી શકે તેવા હોય તેને. હે પ્રભુ! આપ હું તો મારા જન્મ-મરણના દુઃખ કાપવાને સમર્થ છો તેમજ મને દિલાસો શું આપી શકવાની શક્તિવાળા છો, તેથી આપને વિનંતી કરું છું કે હે $ પ્રભુ ! એક ક્ષણ આપ જાતે મારી વિનંતી સાંભળો તો શ્રી ; $ મોહનવિજયજી કહે છે કે મારું સઘળું કાર્ય સફળ થયું એમ માનીશ. ૧૩. શ્રી વિમલનાથ સ્તવન વિમલ જિનંદશું જ્ઞાનવિનોદી, મુખછબી શશી અવહેલેજી; સુરવર નિરખી રૂપ અનુપમ, હજીયે નિમેષ ન મેલેજી.... વિ.૧ . શ્રી વિમલનાથ ભગવાનની જ્ઞાન-વિનોદ આપનારી મુખરૂપી છબી $ ચંદ્રને ઝાંખો કરે છે. લોકોત્તર ચંદ્રરૂપ વિમલનાથ જિનેશ્વરની મુખની $ આકૃતિ એટલી બધી સૌમ્ય તેજવાળી છે કે લૌકિક ચંદ્ર તેની આગળ હું નિસ્તેજ લાગે છે. આ ભગવાનનું અનુપમ મુખ તેજ જોઇને - રૂ૫ $ જોઇને દેવોની આંખની પાંપણો હલતી પણ નથી, એકી ટશે જોયા જ શું કરે છે. પ્રભુને નીરખીને ચક્ષુઓ તૃપ્ત થતી જ નથી. વિષ્ણુ વરાહ થઈ ઘરે વસુધા, એવું કોઇક કહે છે જી; તો વરાહ લંછન મિષે પ્રભુને, ચરણ શરણે રહે છે જી.. વિ. ૨ * શ્રી મોહનવિજયજી કત ચોવીસી ૧૯૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy