SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ હે પ્રભુ ! આપનો પરિચય જેમ જેમ વધતો જશે તેમ તેમ દરરોજ હું નવો નવો થતો જશે. કારણ કે મારા પ્રભુમાં જે પ્રભુતા, નિપુણતા, પૂર્ણતા, પરમાત્મતા તે બીજા કોઈની પાસે ક્યાંથી હોઈ શકે? પરમપુરુષતા વિતરાગપણાને કારણે છે તે બીજામાં કયાંથી હોય ? ભીનો પરમ મહારસે, મહારો નાથ નગીનો, તેહને તે કુણ નિંદે હો રાજ; સમકિત દઢતા કારણે, રૂપવિબુધનો મોહન, સ્વામી સુપાસને વંદે હો રાજ. ... સા. ૭ મારા પ્રભુ તો નવમા રસ શાંતરસ-રસાધિરાજથી ભરેલા છે, ગમે છું તેવા છે. તેની નિંદા કોણ કરે ! શ્રી મોહનવિજયજી મ.સા., સાતમા ! છેશ્રી સુપાર્શ્વનાથ જિનવરને સમકિત મેળવવાના કારણથી વંદના કરે છે છે. આવા પ્રભુની સેવા અમને ઘણી વહાલી છે. ૮. શ્રી ચન્દ્રપ્રભ સ્તવન શ્રી શંકર ચંદ્રપ્રભુ રે લો, તું ધ્યાતા જગનો વિભુ રે લો; $ તિણે હું ઓલગે આવી રે લો, તમે પણ મુજ મન ભાવીઓ રેલો. ૧ શ્રી શંકર એટલે લક્ષ્મીયુક્ત સુખ કરનારા એવા હે ચંદ્રપ્રભુ ! ! જગતના વિભુ-પ્રભુ છો માટે તને જગતના લોકો ધ્યાવે છે તે કારણથી હું આપને ધ્યાવનારૂપ ઓળગ કરતો આવ્યો છું કારણ કે આપ પણ મારા મનને ભાવ્યા એટલે ધ્યાવવા યોગ્ય લાગ્યા છો. દીધી ચરણની ચાકરી રે લો, હું એવું હરખે કરી રે લો, સાહિબ સામું નિહાળજો રે લો, ભવસમુદ્રથી તારજો રે લો... ર ! આપના ચરણકમળમાં રહેવાનો - સેવા કરવાનો મહાપુણ્યયોગે શ્રી મોહનવિજયજી કત ચોવીસી ૧૮૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy