SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ થશે. દા.ત. કાંબળી જેમ જેમ પાણીથી ભીંજાતી જાય તેમ ભારે થતી ? જાય છે. તેવી રીતે જો ભક્તિ મોંઘી થશે તો પછી આપની ભક્તિ કોણ કરશે. માટે આપે અમારા પર રાજી થવું પડશે. મનથી નિવાસ નહિ કરે, તો કર ગ્રહીને લીજે, આવશે તે લેખે હો રાજ; મોટાને કહેવું કિડ્યું, પગદોડી અનુચરની, અંતરજામી દેખે હો રાજ... સા. ૪ આપ મનની સાચી જીગરથી કદાચ પાલના ન કરો તો પણ શું $ લોકલજ્જાએ મારો હાથ પકડી પાલના કરશો તો પણ મારે તો લેખે ! $ આવશે. આપ મોટા છો, આપ બધું જાણો છો તો પછી વધારે ઝાઝું શું શું કહેવું? આ પગદોડી તો સેવકની થાય છે. આપ અંતરજામી છો તેથી વાત બધી જાણો છો. એહથી શું અધિકોય છે, આવી મનડે વસીઓ, - સાચો સુગુણ સ્નેહી હો રાજ; જે વશ હોશે આપને, તેહને માગ્યું દેતાં, અજર રહે કહો કેહી હો રાજ... સા. ૫ અમારા જેવા ભક્તોએ તન, મનથી આપના મનમાં વાસ કર્યો છે. છે તે સાચા ગુણ સહિત અને ધર્મ સ્નેહી પ્રભુ ! આવી રીતે વશમાં આવેલા ભક્તને માંગેલી વસ્તુ આપશો તો સેવક નિર્ધન નહીં રહે $ અને અખૂટ અને અવિનાશી એવા જ્ઞાન-દર્શનરૂપી ધનનો માલિક થઈ ધનવાન કહેવાશે. અતિ પરચો વિરચે નહીં, નિત નિત નવલી નવલો, પ્રભુજી મુજથી ભાસે હો રાજ; એ પ્રભુતા એ નિપૂણતા પરમપુરુષ જે જેહવી, | કિહોથી કોઈ પાસે હો રાજ.... સા. ૬ ૧૮૪ વીર-રાજપથદર્શિની - ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy