SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ કામણ કર્યું છે કે અમારું ચિત્ત તમે ચોરી લીધું છે. તમે સાહેબ, જિનેશ્વર, મોહ ઉપજાવનાર છો. પરંતુ હે પ્રભુ ! અમે પણ તમારા ઉપર કામણ કરશું. ભક્તિથી તમને પકડીને અમારા દિલમાં રાખી લઇશું. મન ઘરમાં ધરિયા ઘરશોભા, દેખત નિત્ય રહેશો થિર થોભા; હું મન વૈકુંઠ અકુંઠિત ભક્ત, યોગી ભાખે અનુભવ યુકતે. સા. ૨ અર્થ : હે પ્રભુ! મારા હૃદયરૂપી ઘરમાં ભક્તિરૂપ શોભા જોઈને 3 આપ ત્યાં સદાને માટે સ્થિર થઈ રહેશો. કેમ કે અકુંઠિત-બેહદ ભક્તિ ( વડે મન વૈકુંઠ સમાન બની જાય છે, એમ યોગીઓ પોતાના અનુભવથી શું કહે છે. કલેજે વાસિત મન સંસાર, કલેશ રહિત મન તે ભવપાર; જો વિશુદ્ધ મન થતુમે આવ્યા,પ્રભુ તો અમે નવનિધિ ઋદ્ધિ પામ્યા. સા૦ ૩ અર્થ: કલેશથી ભરેલ મન એ જ સંસાર છે અને કલેશ વિનાનું હું મન એ જ મોક્ષ-મુક્તિ છે. હે પ્રભુ! જો તમે અમારા વિશુદ્ધ-નિર્મળ કરેલા મનમાં વાસ કરો તો અમને બધી રિદ્ધિ સિદ્ધિ મળી ગઈ એવું અમને લાગશે. સાત રાજ અળગા જઈ બેઠા, પણ ભક્ત અમ મનમાં પેઠા; અલગાને વળગ્યા જે રહેવું, તે ભાણા ખડખડ દુઃખ સહેવું. રા. ૪ અર્થ: હે ભગવાન! તમે તો સાત રાજુ-લોકાંતે જુદા જઈને બેઠા ] છો. પણ ભક્તિથી ખેંચાઇને અમારા મનમાં તમે પધાર્યા છો, એ કે અમારું સદ્ભાગ્ય છે નહીં તો અળગા થયેલાને વળગ્યા રહેવું એ કુકું ભૂખ્યા પેટે ખાલી ખખડતા ભાણા પર બેસીને ભૂખનું દુઃખ ભોગવવા જેવું દુઃખદ લાગે. મહોપાધ્યાય શ્રી યશોવિજયજીની ચોવીસી ૧૬૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy