SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ { લાડ કરી જે બાળક બોલે રે, માતપિતા મન અમિયને તોલે રે; 3 શ્રી નયવિજય વિબુધનો શિષો રે, યશ કહે ઇમ જાણો જગદીશો રે. ૫ અર્થ: નાનું બાળક લાડ કરીને કાલું કાલું બોલે તે તેના માબાપને હું મન તો અમૃત જેવું લાગે છે. તેમ હે જગદીશ! આપ પણ મારી આ છે બધી વાતને એ પ્રમાણે જાણજો એમ પૂ. શ્રી નવિજયજીના શિષ્ય યશોવિજયજી કહે છે. ૧૦. શ્રી શીતલનાથ સ્વામી શ્રી શીતલજિન ભેટિયે, કરી ભક્ત ચોખ્ખું ચિત્ત હો; તેહથી કહો છાનું કિડ્યું, જેહને સોંપ્યા તન મન વિત્ત હો. ૧ અર્થ: હે શીતલનાથ ભગવાન!મારું ચિત્ત ભક્તિથી ચોખ્ખું કરીને તે આપને ભેટવાની મારી ઇચ્છા છે. જેને તન, મન અને ધન અર્પણ કર્યા તેનાથી છાનું શા માટે રાખવું? દાયક નામે છે ઘણા, પણ તું સાયર તે કૂપ હો; તે બહુ ખજવા તગતગે, તું દિનકર તેજ સ્વરૂપ હો. ૨ અર્થ: હે પ્રભુ! આ જગતમાં દાતા તો ઘણા છે. એ બધા કૂવા છે ? અને તું તો મોટો સાગર છો. તે બધા તગતગતા આગિયા જેવા છે ? અને તું તો સૂર્ય સમાન પ્રકાશ સ્વરૂપ છો. મોટો જાણી આદર્યો, દારિદ્ર ભાંજો જગતાત હો; તું કરૂણાવંત શિરોમણિ, હું કરૂણાપાત્ર વિખ્યાત હો. ૩ અર્થ : હે ભગવાન ! તને મહાન જાણીને મેં તારો આદર કર્યો હું તો હે જગતાત ! હવે મારું દુઃખ દારિદ્ર ભાંગી નાખો. મારા જેવો કરૂણાપાત્ર બીજો કોઈ નહીં મળે. અને ભગવાન ! તું તો સૌથી ૧૬૦ વીર-રાજપથદર્શિની - ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy