SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૯. શ્રી સુવિધિનાથ સ્વામી લઘુ પણ હું તુમ મન વિ માવું રે, જગગુરુ તુમને દિલમાં લાવું રે; કુણને એ દીજે સાબાશી રે ? કહો શ્રી સુવિધિ જિણંદ વિમાસી રે. ૧ અર્થ : હે ભગવાન ! હું બહુ નાનો છું છતાં તમારા દિલમાં સમાઈ શકતો નથી. પણ હે જગગુરુ ! આપ મહાન છતાંય મારા અંતઃકરણમાં આપને હું લાવું છું. તો આ માટે કોને સાબાશી આપવી તે હે સુવિધિ જિનેશ્વર ! આપ વિચારીને કહો. મુજ મન અણુમાંહે ભક્તિ છે ઝાઝી રે, તેહ દરીનો તું છે માજી રે; યોગી પણ જે વાત ન જાણે રે, તેહ અચરીજ કુણથી હુઓ ટાણે રે. ૨ અર્થ : હે પ્રભુ ! મારા મનના એકેક અણુમાં ઝાઝી ભક્તિ છે. અને આ મારા નાના મનરૂપી વહાણનો તું સુકાની છે. મોટા યોગેશ્વરો પણ જાણી શકતા નથી એવી અચરજવાળી વાત આ ટાણે કોનાથી બની ? અથવા થિ૨માંહી અસ્થિર ન માવે રે, મોટો ગજ દર્પણમાં આવે રે; જેહને તેજે બુદ્ધિ પ્રકાશી રે, તેહને દીજે એ સાબાશી રે. અર્થ : અથવા સ્થિર વસ્તુમાં અસ્થિર પદાર્થ સમાતો નથી છતાં મોટો હાથી દર્પણમાં આવે છે-દેખાય છે. એટલે જેના પ્રભાવથી મારામાં બુદ્ધિ પ્રકાશી છે એવા આપને સાબાશી ઘટે છે. ઊર્ધ્વમૂળ તરૂવર અધ શાખા રે, છંદપુરાણે એહવી છે ભાખા રે; અચરજવાળે અચરજ કીધું રે, ભક્ત સેવક કારજ સીધું રે. ૪ અર્થ : છંદ અને પુરાણોમાં એમ કહેલ છે કે આ વૃક્ષ તો ઉપર મૂળિયાં અને નીચે શાખાવાળું છે. આ આશ્ચર્ય આપે કર્યું છે પણ આ સેવકનું કાર્ય તો ભક્તિથી પાર પડ્યું છે. મહોપાધ્યાય શ્રી યશોવિજયજીની ચોવીસી Jain Education International For Personal & Private Use Only ૧૫૯ www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy