SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ઓછાં વૃક્ષ ગમતાં નથી. તેવી રીતે ગુણજ્ઞ લોકોને પણ મોટા માણસોના ગુણ જોઈને પ્યાર થાય છે. કમલિની દિનકર–કર ગ્રહે, વળી કુમુદિની હો ધરે ચંદશું પ્રીત કે; ગૌરી ગિરીશ ગિરિધર વિના, નવિ ચાહે હો કમલા ચિત્ત કે... ૪ તિમ પ્રભુશું મુજ મન રમ્યું, બીજાશું હો નવિ આવે દાય કે; શ્રી નયવિજય સુગુરુતણો, વાચક યશ હો નિત નિત ગુણ ગાય કે ૫ ઃ અર્થ : જે કમળ છે તે સૂર્યના કિરણને ગ્રહે છે અને કુમુદિની ચંદ્ર સાથે જ પ્રીત કરે છે. વળી પાર્વતી શંકર વિના, લક્ષ્મી વિષ્ણુ વિના બીજાને પોતાના ચિત્તથી ચાહતી નથી. એવી રીતે ભગવાનની સાથે મારું મન રમ્યું છે. તેથી બીજા કોઈ પ્રત્યે કાંઈ ભાવ થતો નથી. એટલે શ્રી નયવિજય સુગુરુનો શિષ્ય હું - યશોવિજય હંમેશાં પ્રભુના ગુણ ગાઉં છું. ૩. શ્રી સંભવનાથ સ્વામી સંભવ જિનવર વિનંતિ, અવધારો ગુણજ્ઞાતા રે; ખામી નહિ મુજ ખીજમતે, કદીય હોશો ફળદાતા રે. ૧ +&**** અર્થ : હે સંભવ જિનેશ્વર ભગવાન ! આપ તો ગુણના જાણકાર છો. આપની ભક્તિ કરવામાં મારી કાંઈ ખામી નથી. તો આપ કોઈક દિવસ ભક્તિનું ફળ આપનાર થજો એટલી મારી વિનંતિ સાંભળો. કર જોડીને ઊભો રહું, રાતદિવસ તુમ ધ્યાનો રે; જો મનમાં આણો નહીં, તો શું કહીએ છાનો રે. ૨ અર્થ : હે ભગવાન ! હું તો બે હાથ જોડીને રાત ને દિવસ આપના ધ્યાનમાં ઊભો રહું છું. આ બધું જો આપ મનમાં લાવો નહીં, તો મારે ૧૫૦ Jain Education International વીર-રાજપથદર્શિની - ૨ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy