SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ શું અર્થ એમ લાગે છે કે જાણે ઇંદ્ર, ચંદ્ર, સૂર્ય અને પર્વતના ગુણો 33 તું લઇને આપનું શરીર ઘડ્યું હોય પરંતુ આપને આવું ઉત્કૃષ્ટ ભાગ્ય ! શાથી મળ્યું એ અમને આશ્ચર્ય થાય છે. ગુણ સઘળા અંગે કર્યા, દૂર કર્યા સવિ દોષ લાલ રે; વાચક યશવિજયે થુણ્યો, દેજો સુખનો પોષ લાલ રે. જગ. ૫ અર્થ: હે ભગવાન, આપે બધા ગુણોને મેળવ્યા અને બધા દોષો હું દૂર કર્યા છે. તેથી હું, યશોવિજય આપની સ્તુતિ કરું છું અને વિનંતિ શું કરું કે અમને અખૂટ આત્મિક સુખ આપજો. ૨. શ્રી અજિતનાથ સ્વામી અજિત જિર્ણોદશું પ્રીતડી, મુજને ન ગમે તો બીજાનો સંગ કે; માલતી ફૂલે મોહિયો, કિમ બેસે હો બાવળતરુ ભંગ કે... ૧ અર્થ શ્રી અજિતનાથ જિનેશ્વર સાથે મને પ્રીત થઈ ગઈ છે. તેથી હું બીજા કોઈનો સંગ મને ગમતો નથી. જે ભમરાએ માલતીના ફૂલની 1 સુગંધ માણી હોય તે બાવળના ઝાડ પર કેમ બેસે ? ન જ બેસે. ગંગાજળમાં જે રમ્યા, કિમ છીલ્લર હો રતિ પામે મરાળ કે; સરોવર જળધર જળ વિના, નવિચાહે હો જગ ચાતકબાળ કે.. ૨ અર્થ : જે રાજહંસે ગંગાના નિર્મળ જળમાં મઝા કરી હોય તે છે ખાબોચિયાના ગંદા પાણીમાં સુખ કેમ માને ? ચાતક પક્ષીનું બચ્ચું મેઘના જળને બદલે સરોવરના જળને ચાહી શકે નહીં. કોકિલ કલકૂજિત કરે, પામી મંજરી હો પંજરી સહકાર કે; ઓછાં તરૂવર નવિ ગમે, ગિરૂઆશું હો હોયે ગુણનો પ્યાર કે... ૩ અર્થ : કોયલ આંબાનો મોર ખાઈને ટહૂકા કરતી હોય છે તેને શું | મહોપાધ્યાય શ્રી યશોવિજયજીની ચોવીસી | ૧૪૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy