SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ રાગી સંગે રે રાગ દશા વધે, થાયે તિણે સંસારીજી; નીરાગીથી રે રાગનું જોડવું, લહીએ ભવનો પારોજી... ને. ૪ / સંસારી જીવ રાગદ્વેષ યુક્ત હોય છે માટે તેનો સંગ કરવાથી રાગમાં વધારો થાય અને તેના કારણે સંસાર પરિભ્રમણ પણ વધી જાય. જ્યારે આત્મધર્મનો વિચાર કરતાં રાગ તો તજવા યોગ્ય છે. ભવનો પાર પામવા માટે નીરાગીથી, વીતરાગ ભગવંતથી જો રાગ જોડીએ તો ભવનો પાર પામી શકાય. અપ્રશસ્તતા રે ટાળી પ્રશસ્તતા, કરતાં આશ્રવ નાચેજી; સંવર વાધે રે સાધે નિર્જરા, આતમભાવ પ્રકાશજી... ને. ૫ અપ્રશસ્તભાવ એટલે કે પરભાવ-વિભાવ હતો તેને ટાળીને શ્રી અરિહંત ભગવાન ઉપર રાગ કરવો તેને પ્રશસ્ત રાગ કહેવામાં આવે છે છે. તે પ્રશસ્ત રાગ કરવાથી આશ્રવનો નાશ થાય છે. પાપ-પુણ્ય કર્મનો છે નાશ થઈ જાય છે અને પ્રશસ્ત રાગ દ્વારા સાધક જીવ સ્વગુણ એકત્ત્વતા પરિણામથી સંવર પરિણતિને વધારે છે અને તેથી પૂર્વ કર્મની નિર્જરા ; થઈ જાય છે અને પોતાના આત્માના ભાવધર્મને પ્રગટ કરે છે. નેમિ પ્રભુ ધ્યાને રે એકત્ત્વતા, નિજ તત્ત્વ એકતાનોજી; શુકલ ધ્યાને રે સાધી સુસિદ્ધતા, લહિયે મુક્તિ નિદાનોજી...ને. ૭ આમ વિચાર કરી શ્રી નેમિનાથ પ્રભુનું ધ્યાન કરી અને તેમ કરતાં એકત્ત્વતામાં તન્મયતા કરીને પોતાના તત્ત્વરૂપ આત્મસ્વરૂપમાં એકત્ત્વપણું છું િઉપજાવવું. એકત્ત્વપણું ઉપજ્યા પછી શુકલ ધ્યાન પ્રગટાવીને પોતાની જી મુક્તિરૂપ સાધનાને સિદ્ધ કરી, એમ કરીને સકલ કર્મ રહિત થઇને હું મુક્તિને મેળવીએ. અગમ અરૂપી રે અલખ અગોચર, પરમાતમ પરમીશોજી; દેવચંદ્ર જિનવરની સેવના, કરતાં વાધે જગીશોજી. . ને. ૭ ૧૪૦ વીર-રાજપથદર્શિની - ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy