SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ વાદપરંપરા ચાલે છે. પણ એથી કાંઈ આ માર્ગનો પાર પામી શકાય તેવું નથી. પામવા યોગ્ય વસ્તુ જેમ સિદ્ધાંતમાં કહી છે, તેમ કહેનાર શું આ જગતમાં કોઈક વિરલા જ દેખાય છે. વસ્તુ વિચારે રે દિવ્ય નયન તણો રે, વિરહ પડ્યો નિરધાર; તરતમ જોગે રે તરતમ વાસના રે, વાસિત બોધ આધાર. ૫ અર્થ પદાર્થને યથાર્થ રીતે જાણવા માટે જે દિવ્ય નેત્રો જોઈએ તે દિવ્ય નેત્રોનો ચોક્કસપણે વિરહ પડી ગયો છે. મુનિઓ અને પંડિતો જી પાસેથી જાણવા જતાં જેમ તેમના મન, વચન, કાયાના યોગ બળવાન હોય તેમ તેમની વાસના એટલે કે અહંકાર વગેરે બળવાન હોય છે, છું તેથી તેમનો બોધ કે જે અભિમાન આદિથી વાસિત થયેલો છે તે સાંભળવા મળે છે, તેનો આધાર લેવો પડે છે. કાળલબ્ધિ લઈ પંથ નિહાળશું રે, એ આશા અવલંબ એ જન જીવે રે જિનજી જાણજો રે, આનંદઘન મત અંબ. અર્થ : હે પરમાત્મા ! ભવસ્થિતિ પરિપાક થયે તારો મોક્ષમાર્ગ | નિહાળશું એ આશાને અવલંબન કરીને અમે જીવીએ છીએ, એમ તમે જાણજો. આનંદઘનજી મહારાજ સાહેબ કહે છે કે આવા આત્માઓ તેમના મતને એટલે કે માર્ગને અવલંબે છે, તેમ જાણવું. ૩. શ્રી સંભવનાથ સ્વામી સંભવદવ તે ધુર સેવા સવે રે, લહી પ્રભુસેવન ભેદ; સેવન કારણ પહેલી ભૂમિકા રે, અભય, અષ, અખેદ. ૧ અર્થ : હે ભવ્યો ! પ્રભુની સેવાના ભેદ સમજીને તમે સંભવદેવ ભગવાનની સેવના કરો. આવું સેવન કરવાની ભૂમિકાના કારણ એવા વીર-રાજપથદર્શિની - ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy