SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. અજિતનાથ સ્વામી પંથડો નિહાળું રે બીજા જિનતણો રે, અજિત અજિત ગુણધામ; જે તે જિત્યારે તિણે હું જિલીયો રે, પુરુષ કિશ્ય મુજ નામ. ૧ અર્થ: હે અજિતનાથ ભગવાન ! હું તમારો મોક્ષમાર્ગ નિહાળું છું શું તો મને એવું દેખાય છે કે મારા જેવા નિર્બળ વૃત્તિના મુમુક્ષુથી જીતી ન શકાય એવા, અજેય ગણાતા એવા રાગ, દ્વેષ, કષાય, ઇન્દ્રિયના વિષયો, નોકષાય આદિને તમે જીતી લઇને “અજિત ગુણધામ' પદ પ્રાપ્ત કર્યું છે અને તમારું “અજિત' નામ સાર્થક કર્યું છે. પરંતુ તે કષાય આદિએ મને જીતી લીધેલ છે. તેથી મારું નામ પુરુષ-મરદ શાનું કહેવાય ? ચરમ નયણ કરી મારગ જોવતાં રે, ભૂલ્યો સયલ સંસાર; જેણે નયણે કરી મારગ જોઈએ રે, નયણે તે દિવ્ય વિચાર. ૨ અર્થ : હે પ્રભુ ચર્મચક્ષુથી તમારો માર્ગ જોતાં આખો સંસાર માર્ગ ભૂલ્યો છે, જે નયનથી તમારો માર્ગ જોઈ શકાય તેમ છે એ નયન તો દિવ્ય વિચાર જ છે. પુરુષ પરંપરા અનુભવ જોવતાં રે, અંધોઅંધ પલાય; વસ્તુ વિચારે રે જો આગામે કરી રે, ચરણ ધરણ નહીં થાય. ૩ અર્થ: હે પ્રભુ ! તારા માર્ગની જે પરંપરા ચાલી આવે છે તેમાં ડું હું અનુભવની તપાસ કરતાં તો “આંધળાની પાછળ આંધળો જાય” એવું દેખાય છે. અને જો આગમ કથનને આધારે દ્રવ્યનો કે માર્ગનો વિચાર કરીએ તો પગ મૂકવાનું ય ઠેકાણું નથી. તર્ક વિચારે રે વાદપરંપરા રે, પાર ન પહોંચે કોય; અભિમત વસ્તુ વસ્તુગતે કહે રે, તે વિરલા જગ જોય. ૪ અર્થ : પંડિતોને પૂછીએ તો તેઓ તર્કથી વિચારમાં પડે છે અને હું શ્રી આનંદઘનજીની ચોવીસી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy